BREAKING NEWS

જામનગર જિલ્લામા માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓને શ્રધ્ધાજંલિ

  • November 18, 2025 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યભરમાં માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓ માટે વિશ્વ સંભારણા દિવસની નવેમ્બર માસના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૧૦૮ ની ટીમ ઉપરાંત જામનગરના પોલીસ અને આરટીઓ વિભાગ ની ટીમ આ ઉજવણીમાં સામેલ થઈ હતી.


જેના ભાગરૂપે જામનગર શહેરના જિલ્લા પંચાયત સામે વિનુ માંકડના પુતળા પાસે આર.ટી.ઓ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને ટ્રાફીક પોલીસે માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને શ્રધ્ધાજલિ આપી હતી. જેમાં મીણબત્તી પ્રગટાવીને બે મિનીટનું મૌન પાળીને શ્રધ્ધાજંલિ આપી હતી. 
​​​​​​​

આ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અકસ્માતની જાણ થાશે તો ૧૦૮ને જાણ કરવાની તેમજ હીટ એન્ડ રનના બનાવમાં ભોગ બનનારને મળતા ફાયદાનો લાભ અપાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application