જામનગરમાં વિશ્ર્વ સ્મૃતિ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

  • November 20, 2023 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્વની સાથે સાથે તા ૧૯.૧૧.૨૦૨૩ને વિશ્ર્વ સ્મૃતિ દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને જામનગર ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
 જામનગરમાં લાલબંગલ સર્કલમાં ઇએમઆરઆઈ. ૧૦૮ના અધિકારી તેમજ સ્ટાફ, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનો સ્ટાફ, આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેમની ટિમ, ફાયર બ્રિગેડની ટિમ, હોમ ગાર્ડના જવાનોની ટિમ, ટ્રાફિક બ્રિગેડ ના જવાનો અને જાહેર જનતાની ઉપસ્થિતીમાં મીણબત્તી પ્રગટાવીને ૨ મિનિટ નું મૌન રાખવામાં આવ્યું હતું, અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત માર્ગ અકસ્માત ન થાય અને થાય તો ઘાયલ વ્યકિતને ૧૦૮ દ્વારા હોસ્પીટલ પહોચાડવાની શપથ તેમજ આરટીઓ ઓફીસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application