રાણાવાવની મામલતદાર કચેરીમાં થયુ વૃક્ષારોપણ

  • May 27, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાણાવાવની મામલતદાર કચેરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
મોરબીની એલ.ઇ. કોલેજના નિવૃત પ્રોફેસર કે.એફ. ભેટારીયા દ્વારા રાજાકિશન વેલ્ફેર ફાઉન્ડેશનના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ માટેના અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. નિવૃતિ બાદ છેલ્લા છ વર્ષોથી અસંખ્ય વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવાની પ્રવૃત્તિ સ્વખર્ચે કરવામાં આવે છે તેથી તેથી તેમના દ્વારા રાણાવાવ ખાતે મામલતદાર કચેરીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મામલતદાર ડાભી,ડેપ્યુટી મામલતદાર રામ સહિત ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ કે.એફ. ભેટારીયાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે રાણાવાવની મામલતદાર કચેરીમાં પાંચ સીસમ, ૨ લીમડા, ૯ કરંજ, ૪ પામ, ૨ વડલા, ૩ ગુલમહોર, ૬ પારસપીપળા, ૨ કરેણ, ૨ નીલગીરી, ૨ આમળા, ૩ રાણ, ૧ બોરસલી, ૩ પેન્ટો, ૩ રેઇનટ્રી,  અને ૨ પૂજ્ય પીપળા વાવવામાં આવ્યા હતા અને પોરબંદર જિલ્લામાં જ્યાં કયાંયપણ જ‚ર પડશે ત્યાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ અવિરત ચાલુ રહેશે તેમ જાહેર થયુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application