ભારતીય તટરક્ષક મથક વાડીનાર દ્વારા ભારતીય કોસ્ટગાર્ડના ૪૯ મા સ્થાપના દિવસના ભાગ રૂપે આઇસીજીએસ વાડીનાર પરિસરમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરના કસ્ટમ વિભાગના અધિક કમિશનર હરકીરપાલ ખટાણા તથા જામનગરના ચીફ ફાયર ઓફિસર કંચનકુમાર બિશ્નોઈ સહિત સીજી કર્મચારી, પરિવારજનો અને સ્થાનિક વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યા હતા. ઇકોસિસ્ટમના મહત્વ વિશે જાગૃતિ લાવવા, ઇકોલોજીકલ અધોગતિને રોકવા અને પર્યાવરણની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય હવાની ગુણવત્તામાં સુધારો કરવાનો, જૈવવિવિધતામાં વધારો કરવાનો, આબોહવામાં પરિવર્તન સામે લડવામાં મદદ કરવાનો અને આસપાસના બ્યુટિફિકેશનનો છે. ગ્રહને લીલોતરી અને તંદુરસ્ત બનાવવા માટે વૃક્ષારોપણ એ એક સરળ છતાં શક્તિશાળી રીત છે. આઈસીજીએસ વાડીનારે ભારતીય તટરક્ષક દળના સૂત્ર -"વાયમ રક્ષામહ'ને અનુરૂપ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech