ભારતીય તટરક્ષક મથક વાડીનાર દ્વારા ભારતીય કોસ્ટગાર્ડના ૪૯ મા સ્થાપના દિવસના ભાગ રૂપે આઇસીજીએસ વાડીનાર પરિસરમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરના કસ્ટમ વિભાગના અધિક કમિશનર હરકીરપાલ ખટાણા તથા જામનગરના ચીફ ફાયર ઓફિસર કંચનકુમાર બિશ્નોઈ સહિત સીજી કર્મચારી, પરિવારજનો અને સ્થાનિક વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યા હતા. ઇકોસિસ્ટમના મહત્વ વિશે જાગૃતિ લાવવા, ઇકોલોજીકલ અધોગતિને રોકવા અને પર્યાવરણની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય હવાની ગુણવત્તામાં સુધારો કરવાનો, જૈવવિવિધતામાં વધારો કરવાનો, આબોહવામાં પરિવર્તન સામે લડવામાં મદદ કરવાનો અને આસપાસના બ્યુટિફિકેશનનો છે. ગ્રહને લીલોતરી અને તંદુરસ્ત બનાવવા માટે વૃક્ષારોપણ એ એક સરળ છતાં શક્તિશાળી રીત છે. આઈસીજીએસ વાડીનારે ભારતીય તટરક્ષક દળના સૂત્ર -"વાયમ રક્ષામહ'ને અનુરૂપ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech