બે સંતાનોના પિતાએ અપરિણીત હોવાનું કહી યુવતીને જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું

  • November 21, 2023 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બે સંતાનોના પિતાએ પોતે અપરિણીત હોવાનો સ્વાંગ રચી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે યુવતીએ ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટમાં પરિવાર સાથે રહી ખાનગી બેંકમાં નોકરી કરતી 31 વર્ષીય યુવતીએ કાલાવડ રોડ, વૈશાલીનગર 10ના પાટિયા પાસે રહેતા અને મેક્સલાઇફ ઇન્સ્યોરન્સ નામની કંપ્નીમાં નોકરી કરતા નીરવ મુકેશ પારેખ સામે ફરિયાદ નોંધાવી છે.જેના આધારે આજીડેમ પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 376(2),(એન),506(2) મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


યુવતીની ફરિયાદ મુજબ, 2016માં તે અન્ય એક ખાનગી બેંકમાં કસ્ટમર સર્વિસ ઓફિસર તરીકે નોકરી કરતી હતી. ત્યારે તે બેંકમાં નીરવ પારેખ વીમાનું કામ કરતો હોય અવારનવાર કસ્ટમરને મળવા જતી વખતે તે સાથે રહેતો હોવાથી બંને વચ્ચે મિત્રતા હતી અને બંને પાસે એકબીજાના મોબાઇલ નંબર હતા. મિત્રતાને કારણે બંને અવારનવાર મોબાઇલ પર વાતચીત પણ કરતા હતા. દરમિયાન એક વખત નીરવે હું તમને પસંદ કરું છું અને આપણા બંનેના વિચારો સરખા છે જેથી મારે તમારી સાથે લગ્ન કરવા છેની વાત કરી હતી. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા નીરવ ઘરે આવતો જતો રહેતો હોય પોતાના માતા-પિતાને નીરવ સાથે લગ્ન કરવા હોવાની વાત કરી હતી.

જે વાતમાં માતા-પિતાએ સહમતી આપતા બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ સમયે નીરવને આર્થિક રીતે પણ અનેક વખત મદદરૂપ થઇ હતી. ત્યારે તા.28-8-2016ની સાંજે એક કસ્ટમરને મળવા નીકળ્યા હતા. આજી ડેમ ચોકડી પાસે પહોંચતા ચાલ આપણે બંને થોડી વાર એકાંત સ્થળે બેસીને વાતચીત કરીએ. બાદમાં નીરવ તેના વાહન પાછળ પોતાને બેસાડી આજી ડેમ ચોકડીથી આગળ આર.કે.ના ગેટ પાસે આવેલા ભરડિયા નજીક અવાવરુ સ્થળે લઇ ગયો હતો. આ સમયે અંધારું થઇ ગયું હતું. થોડી વાર વાતચીત કયર્િ બાદ નીરવે વાતચીત કરતી વેળાએ શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો. લગ્ન કરવાના હોવાથી પોતે કોઇ પ્રતિકાર કર્યો ન હતો, પરંતુ બાદમાં તેને મારે અત્યારે તારી સાથે શરીરસંબંધ બાંધવો છેની વાત કરી હતી. જેથી તેને આવું લગ્ન પછીનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાના પર ગુસ્સે થઇ ધમકી આપી બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં નીરવે તું કોઇને કહીશ તો હું તારા ભાઇ, માતા-પિતાને જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી. બાદમાં નીરવે પોતાને મારી પાસે ફોટા છે સંબંધ નહિ બાંધે તો હું બધાને મારી નાંખીશ તેમ કહી દસથી બાર વખત અલગ અલગ સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન યુવતી નીરવને ઘરે જતા તે પરિણીત હોવાનું અને તેને બે સંતાન હોવાનું જાણવા મળ્યું હતું.આ હકિકત સામે આવ્યા બાદ યુવતી ચોંકી ઉઠી હતી.અને તેણે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવતા પીઆઇ એલ.એલ.ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એચ.જે.સોલંકી તથા ટીમે આરોપી નિરવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application