રાજ્યના 4 IAS અધિકારીઓની બદલી, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ આવતીકાલે થઈ રહ્યા છે નિવૃત

  • October 30, 2023 08:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના 4 IAS અધિકારીઓની બદલી થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ આવતીકાલે નિવૃત થઈ રહ્યા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે નર્મદા અને કલ્પસર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજય દ્વિવેદીની બદલી કરવામાં આવી છે. તેમને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય કમિશ્નર શાહમીના હુસૈનની પણ બદલી કરવામાં આવી છે. તેમને નર્મદા અને જળ સંપત્તિ વિભાગમા બદલી કરવામાં આવી છે. તેમજ IAS હર્ષદ પટેલની આરોગ્ય કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે. મહત્વનું છે કે હર્ષદ પટેલ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગમાં હતા. રિલીફ કમિશ્નર આલોક કુમાર પાંડેને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application