ગદર 2ના ડાયરેક્ટર અનિલ શર્મા એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર પણ સામે આવી ચૂક્યું છે. ટ્રેલરમાં ઉત્કર્ષ શર્મા અને નાના પાટેકર જોવા મળ્યા છે. આ ફિલ્મના ટ્રેલરને જોઈને જાણ થાય છે કે, આ એક ઈમોશનલ ફિલ્મ હોય શકે છે.
સની દેઓલની સાથે ગદર 2 બનાવનાર ડાયરેક્ટર અનિલ શર્માએ થોડા દિવસો પહેલા વનવાસ નામથી એક ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં અનિલ શર્માનો દીકરો અને ગદર 2માં ચરણજીતનો રોલ કરનાર અભિનેતા ઉત્કર્ષ શર્મા લીડ રોલમાં છે. ટ્રેલરની શરુઆત તેના વોઈસઓવરથી થાય છે.
ઉત્કર્ષ શર્મા કહે છે, માતા-પિતાના કર્મ હોય છે બાળકોનું પાલન કરવાનું અને બાળકોનો ધર્મ હોય છે માતા-પિતાને સંભાળવાના. બનારસની ગલીઓમાં ઉત્કર્ષ ચંચલ અંદાજમાં જોવા મળે છે. તે આ ફિલ્મમાં વીરુ ભૈયા વોલન્ટિયરનો રોલ કરી રહ્યા છે, તેનું પાત્ર શાનદાર છે. તે કહે છે કે, તેની પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. પરંતુ લોકોની સમસ્યાનું સમાધાન કરતા કરતા તેના ખીસ્સા ખાલી થઈ જાય છે. આ ફિલ્મની સ્ટોરી નવી નથી પરંતુ દર્શકોનું ખુબ મનોરંજન કરશે.
આ ફિલ્મની સ્ટોરી એવા લોકો પર આધારિત છે. જે બાળકોને મોટા કરે છે પરંતુ જ્યારે બાળકો મોટા થઈ જાય છે. તો માતા-પિતાને છોડી દે છે. નાના પાટેકર એક એવી વ્યક્તિનો રોલ પ્લે કરી રહ્યા છે. જેમને તેના બાળકોએ છોડી દીધા છે અને તેની લાઈફમાં વીરુ ભૈયા એટલે કે, ઉત્કર્ષની એન્ટ્રી થાય છે. ત્યારબાદ આ સ્ટોરી ખુબ ઈમોશનલ થઈ જાય છે. શરુઆતમાં આ ટ્રેલર તમને ખુબ હસાવશે પરંતુ અંતે તમને ખુબ જ ઈમોશનલ કરી દેશે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ વનવાસ
આ ફિલ્મની સ્ટોરીમાં દેખાડવામાં આવે છે કે, બાળકો પોતાના માતા-પિતાને રસ્તા પર છોડી દે છે. એટલે આ ફિલ્મનું નામ વનવાસ રાખવામાં આવ્યું છે. ટ્રેલરના અંતે નાના પાટેકરની એક લાઈન છે. અપને હી અપનો કો દેતે હૈ વનવાસ, હવે જોવાનું રહેશે કે, આ ફિલ્મ થિયેટરમાં ચાહકોનું કેટલું મનોરંજન કરે છે.
વર્ષના અંતે 20 ડિસેમ્બરે ગદર 2 બનાવનાર નિર્દેશક અનિલ શર્મા પોતાની આગામી ફિલ્મ વનવાસ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં નાના પાટેકર અને અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા મહત્વની ભૂમિકામાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech