વિશ્ર્વકર્મા વિસર્જન માટે કોળીયાક ગયેલાં યુવાનનું દરિયામાં ડૂબી જતાં કરૂણ મોત

  • September 19, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તરપ્રદેશનાં રહેવાસી અને હાલ સિહોર ખાતે રહેતા યુવાન વિશ્વકર્મા વિસર્જન માટે નિષ્કલંક મહાદેવના દરિયામાં ગયા હતા અને દરિયાના મોજાઓ સાથે યુવાન દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તરવૈયાની ટીમ દ્વારા ભારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વઘુ તપાસ હાથ ઘરી છે. ઉત્તરપ્રદેશનાં રહેવાસી અને હાલ સિહોર ખાતે રહેતા  જીવત શિવકુમાર રામ કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં વિશ્વકર્મા વિસર્જન માટે ગયા હતા દરમિયાનમાં યુવાન કોળિયાકના દરિયામાં ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. તાત્કાલિક સ્થાનિક લોકો તથા એસઆરડીનાં જવાનો તથા મરીન પોલીસ સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તરવૈયાઓની ટીમ દ્વારા ભારે જહેમત બાદ કોળિયાકનાં દરિયા કિનારે આવેલ ધાવડીમા મંદિરની સામે દરિયામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકને કોળિયાક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application