સંઘ પ્રદેશ દિવમાં જામનગર થી દિવ ફરવા પર્યટકોને લઈને આવેલ ખોડીયાર ટ્રાવેલ્સની બસ નં.--૧૦-૮૦૦૪ને દિવની એક હોટેલની સામે પાર્કિંગ જેટીમાં પાર્ક કરી પર્યટકો દિવ દર્શન માટે ગયા હતાં. ત્યારે ડ્રાઈવર હરિદાસ મોહનભાઈ કાપડીએ જણાવ્યું કે આખી રાત બસ ચલાવતા ઉજાગરો હોવાથી બસની અંદર સુઈ ગયો હતો. કંડક્ટર નરસિંહભાઈ મનજીભાઈ નકુમ ઉ.વ. ૫૩ રહે. શારદા ગ્રામ પાણખાણ જામનગર બસની નીચે સુઈ ગયો હોય પર્યટકો દિવથી પરત જવાનો ફોન આવતાં હતો. જેથી ડ્રાઇવરે કંડકટરને બે ફોન કર્યા અને બે ત્રણ હોર્ન મારી બસ ચાલુ કરીને ચલાવતાં બસ કંડક્ટરના માથાનાં ભાગે બસનું વીલનું ટાયર જોટો ફળી વળતા ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતુ. દિવ પોલીસે ડ્રાઈવરની લાપરવાહીથી વાહન ચલાવી મોત નિપજાવી હોવા અંગેનો ગુન્હો નોંધી ધરપકડ કરી છે. અને કંડક્ટર યુવાનના મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી પરિવારને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech