ગુજરાતના મહેસાણામાં એક દુ:ખદ અકસ્માતમાં સર્જાયો છે. મહેસાણા જિલ્લાના જેસલપુર ગામે માટી ધસી પડતાં એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બપોરના સમયે થયો હતો, જ્યારે કામદારો ટાંકી બનાવવા માટે ખાડો ખોદી રહ્યા હતા. તે દરમિયાન માટી ધસી પડતા શ્રમિકો દટાયા હતા.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને માટીમાં દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સાત મૃતદેહ મળી આવ્યા છે અને હજુ વધુ મજૂરો દટાયા હોવાની આશંકા છે.
ઇન્સ્પેક્ટર પ્રહલાદ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કામ દરમિયાન અચાનક માટી ધસી પડતા ઘણા કામદારો દટાયા હતા. સ્થાનિક લોકોએ અકસ્માતની માહિતી આપી હતી. જે બાદ માટીમાં દટાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સાત લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. એવી આશંકા છે કે હજુ 3 થી 4 વધુ લોકો દટાયેલા હોઈ શકે છે.
અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કામદારોના મોત બાદ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બાંધકામ સ્થળ પર જેસીબી વડે ખાડો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. કામદારોની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ દુર્ઘટના બાદ સલામતીના માપદંડોની અવગણના અને કામદારોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech