એમ.જી.રોડની ફુટપાથ ઉપર થયેલા દબાણને લીધે ટ્રાફિકની સમસ્યા વકરી

  • April 17, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં એમ.જી.રોડ ઉપર ફુટપાથ દબાવીને બેસી ગયેલા વેપારીઓને કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે.
પોરબંદરના એમ.જી.રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાએ આંડો આંક વાળ્યો છે,ધંધાર્થીઓ ફુટપાથ રોકીને બેસી ગયા છે,રોડ પર લોખંડની જાળીઓ દુકાનદારોએ મુકી છે.જેનાથી રાહદારીઓ સહિત વાહનચાલકોને ખુબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે,
એમ.જી.રોડ પર સ્પીડ બ્રેકરના અભાવે સત્યનારાયણ મંદિર પાસે વાહનો ધુમ સ્પીડમાં આવે છે અને ફુટપાથ સહિત અડધા રોડ પર ધંધાર્થીઓએ દબાણ કરી લેતા એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે.તેથી તાત્કાલિક ધોરણે દબાણ દુર કરવું જોઈએ તેવી માંગ શહેરીજનોએ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application