જામનગરની ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ યોજાયો

  • April 19, 2025 12:18 PM 

જામનગરની ટ્રાફિક શાખા તેમજ આરટીઓ કચેરી ઉપરાંત એલ.એન્ડ ટી. કંપની ના સંયુક્ત ઉપક્રમે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


જામનગર શહેરની ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. જામનગર તેમજ એલ.એન્ડ ટી. કંપની ની સંયુકત ટીમો દ્વારા જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ટ્રાફિક અવેરનેસ અંગે નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.


ઉપરોકત કાર્યક્રમમાં યાર્ડમાં આવેલ ખેડૂત મિત્રોના રેડિયમ રિફ્લેક્ટર વગરનાં વાહનોની સલામતી માટે રેડિયમ લગાવવામાં આવેલ હતા, અને ખેડૂત વાહન ચાલકોને રિફ્લેક્ટર રેડીયમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તદુપરાંત ખેડૂતો અને વાહનચાલકોને રોડ સેફ્ટી અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application