અમે રૂા.૧૦નો સિક્કો સ્વીકારીએ છીએ તેવું સ્ટીકર લગાવવા વેપારીઓને અનુરોધ

  • May 22, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં . ૧૦ નો સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ નહિવત થતો હોઈ ગ્રાહકો, વ્યાપારીઓ તેમજ બેન્કર્સને . ૧૦ના સિક્કાને લઈને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટની નેશનલ અને ખાનગી બેન્કના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.

રૂ.૧૦ નો સિક્કો કાયદેસરનું ચલણ છે.રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ–દેણ વ્યાપક બનાવવા કલેકટર પ્રભવ જોશીએ અપીલ કરતા જણાવ્યું છે કે. વ્યાપારીઓને શોપ પર રૂ.૧૦ ના સિક્કા સ્વીકારીએ છીએ તે પ્રકારે સ્ટીકર લગાવવવા જોઈએ. કોઈપણ વ્યાપારી બેન્કોમા રૂ. ૧૦ ના સિક્કા જમા કરાવી શકે છે, અને પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે
આ બેઠકમાં કલેકટર પ્ર
ભવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે . ૧૦ નો સિક્કો ભારત સરકાર અને આર.બી.આઈ. દ્રારા માન્યતા પ્રા ચલણ છે. જેનો વ્યવહાર કાયદેસર છે. જેથી કરીને લોકો, વ્યાપારીઓ નિ:સંકોચપણે ચલણમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. તેમજ બેન્ક પણ  રૂ.૧૦ ના સિક્કાનો અસ્વીકાર કરી શકે નહીં. તમામ બેંકોમાં રૂ. ૧૦ ના સિક્કા જમા કરાવી શકાય છે તેમ કલેકટરે લોકોને વિશ્વાસ આપતાં જણાવ્યું હતું.

બેન્કના અધિકારીઓના જણાવ્યા મુજબ રૂ.૧૦ ના સિક્કા બેન્ક દ્રારા હાલ ચલણમાં છે જ. તેમજ કોઈપણ વ્યાપારી બેન્કોમા . ૧૦ ના સિક્કા જમા કરાવી શકે છે.
. ૧૦ નો સિક્કો વ્યાપક પ્રમાણમાં વ્યવહારમાં આવતાં છુટ્ટાની સમસ્યા પણ હલ થઈ જશે. કલેકટરે રૂ. ૧૦ ના સિક્કાનું સકર્યુલેશન વધે તે માટે સર્વેને રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ–દેણ વ્યાપક બનાવવા અનુરોધ કર્યેા છે. આ બેઠકમાં એસ.બી.આઈ. ના લીડ બેન્કના મેનેજર નરેન્દ્ર સોલંકી, કણાકર બિસ્વાલ સહીત અગ્રણી બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application