બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક રેલગાડી અડફેટે વેપારીનું મોત

  • September 17, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના ધોળા રેલ્વે સ્ટેશન થી થોડે દૂર બાંદ્રાથી ભાવનગર આવી રહેલી સાપ્તાહિક રેલગાડી અડફેટે આવી જતા યુવાનનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જીઆરપીનો કાફલો દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતક લુઘીયાણાનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું.
ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ બાંદ્રાથી ભાવનગર આવતી સાપ્તાહિક રેલગાડી આજે વ્હેલી સવારે ધોળા સ્ટેશનથી ભાવનગર આવવા રવાના થઇ હતી અને હજુ ગાડી પ્લેટ ફોર્મથી થોડે દૂર પહોંચી હતી ત્યારે ગાડીમાં સવાર એક અજાણ્યો યુવાન ગાડીની અડફેટે આવી જતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જીઆરપીના મુળજીભાઈ સહિતનો કાફલો દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી મૃતકની ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતક રાહુલસિંઘ ભીમસિંઘ (ઉ. વ. ૩૨)નું હોવાનું ખુલ્યું હતું. મૃતક રાહુલસિંઘ બાંદ્રા રેલગાડીમાં બોટાદ આવી રહ્યો હતો પરંતુ કોઈ કારણોસર તે બોટાદ રેલ્વે સ્ટેશન ચુકી ગયો હોય ગાડી ધોળા આવી ગયા બાદ રાહુલસિંઘને ખ્યાલ આવતા ધીમી ગતિએ ચાલી રહેલી ગાડીમાથીઉતરવા જતા અડફેટે આવી ગયાનું ખુલતા હાલ જીઆરપી દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application