ભાવનગર નજીક કોળીયાક પાસે માલેશ્રી નદીના પ્રવાહના કોઝ વે પાસે બનેલી બસની દુર્ઘટનાના પ્રવાસીઓને સ્થાનિક લોકોની મદદથી તંત્રએ હેમખેમ બચાવી લીધા બાદ આજરોજ બપોરે અમદાવાદ જવા રવાના થયા હતા. આ તકે જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણી સહિત અધિકારીઓને પ્રવાસીઓએ એમના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રવાસીઓને ભાવનગર કાળીયાબીડ ખાતે ઉમા ભવન ખાતે તેઓને રહેવા- જમવા સહિત સતત મેડિકલ ચેકઅપની સુવિધા આપવામાં આવી હતી. આ ઉપરાંત બસમાં રહેલો એમનો સામાન પણ સહી સલામત બધાને મળી ગયો હોવાની તકેદારી લેવામાં આવી હતી.આ પ્રવાસીઓ બસ મારફત અમદાવાદ જવા રવાના થયા હતા ત્યારબાદ ત્યાંથી ટ્રેન મારફત ચેન્નાઇ જશે.
આ તકે પ્રવાસીઓએ અધિકારીઓને મળીને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ કલેકટર આર. કે. મહેતાએ પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કરીને એમના અનુભવો જાણ્યા હતા અને હવે પછીની એમની યાત્રા સુખદાયી નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech