મોદી માનતા હોય કે આપણે ગોળીઓથી ડરીએ છીએ તો તે તેમની ભૂલ છે: લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું

  • May 30, 2025 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહલગામ આતંકવાદી હુમલાના કાવતરાખોર અને લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ કસુરીએ બુધવારે લાહોરમાં આયોજિત એક રેલીમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઆઈએસઆઈ , લશ્કર કમાન્ડરો અને પાકિસ્તાની સુરક્ષા દળોની હાજરીમાં કસુરીએ પોતાને 'ભારતના હૃદયમાં કાંટો' ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે પહેલગામ હુમલા પછી તે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે.મારે મોદી સામે ચુંટણી શા માટે ન લડવી?


પહેલગામ હત્યાકાંડની જવાબદારી લેવાનો ઇનકાર કરનાર કસુરી લશ્કરના વડા હાફિઝ સઈદના પુત્ર અને યુએસ દ્વારા નિયુક્ત આતંકવાદી તલ્હા સઈદ સાથે પંજાબ વિધાનસભાના સ્પીકર મલિક અહેમદ ખાન સાથે સ્ટેજ પર જોવા મળ્યો હતો . આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાનની કૂટનીતિનો પર્દાફાશ કર્યો છે. ભારતના ઓપરેશન સિંદૂરના જવાબમાં તલ્હાએ પાકિસ્તાનના કહેવાતા બન્યાન અલ-મર્સૂસ ઓપરેશનની પ્રશંસા કરી હતી.


શું નરેન્દ્ર મોદી માને છે કે આપણે ગોળીઓથી ડરીએ છીએ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ઉલ્લેખ કરતાં કસુરીએ કહ્યું કે તે ગોળીઓથી ડરતા નથી. તેમણે કહ્યું, "શું નરેન્દ્ર મોદી માને છે કે આપણે ગોળીઓથી ડરીએ છીએ? આ તેમની ભૂલ છે." તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તાજેતરમાં ગુજરાતના ભૂજમાં એક રેલીને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે જો પાકિસ્તાન આતંકવાદને હથિયાર તરીકે ઉપયોગ કરવાનું બંધ નહીં કરે, તો તેણે ભારતની ગોળીઓનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.​​​​​​​


હું આગામી ચૂંટણી મોદી સામે લડી ન બેસું

કસુરીએ આ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાને 1971ના યુદ્ધ અને પાકિસ્તાનના ભાગલાનો બદલો તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લીધો છે. રેલી દરમિયાન, તેમણે આગામી ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો અને તેમના વતનના લોકોને પૂછ્યું કે શું તેઓ આગામી ચૂંટણીમાં મોદી સામે તેમનું સમર્થન કરશે. તેમણે પોતાને ભારત માટે કાંટા તરીકે ગણાવ્યા. કસુરીએ કહ્યું, "હું હિન્દુસ્તાનના હૃદયમાં કાંટાની જેમ જીવું છું. હું મારા ભગવાનનો આભાર માનું છું કે હું આગામી ચૂંટણી મોદી સામે લડી ન બેસું.


હુમલો કરવા માટે પ્રશિક્ષિત આતંકવાદીઓને મોકલ્યા

પહેલગામ હુમલા પહેલા, કસુરીને પંજાબના કંગનપુર આર્મી બેઝમાં જોવા મળ્યો હતો. તેણે પાકિસ્તાની સૈનિકોને ઉશ્કેર્યા હતા અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. હાફિઝ સઈદના નિર્દેશ પર, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના કસુરી, તલ્હા અને શેખ સજ્જાદ ગુલે પહેલગામ પર હુમલો કરવા માટે પ્રશિક્ષિત આતંકવાદીઓને મોકલ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application