આજે શ્રાવણનો છેલ્લો સોમવાર હર હર મહાદેવનો નાદ ગુંજયો

  • September 02, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે સોમવતી અમાસ સાથે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર અને આવતીકાલથી શ્રાવણ મહિનાની પૂર્ણાહત્પતિ થશે. આ વખતે બે અમાસ હોવાના લીધે આજે અને આવતીકાલે એમ ભાવિકો પિતૃ તર્પણ કરશે. આજે શ્રાવણ મહિનાનો અંતિમ અને પાંચમો સોમવાર હોવાથી શિવાલયોમાં હર હર મહાદેવ નો નાદ ગુંજયો છે. મોટાભાગના ભાવિકો સોમનાથ દાદાના દર્શન માટે તેમજ ભવનાથ ખાતે પિતૃ તર્પણ માટે પહોંચ્યા છે.
પિતૃ તર્પણ માટે ભાદરવી અમાસ સર્વ શ્રે માનવામાં આવે છે. અમાસની વૃદ્ધિના લીધે આજે તેમજ આવતીકાલે બે દિવસ અમાસ કરશે.. આ વર્ષે શ્રાવણ મહિનાની શઆત પણ સોમવારથી તેમજ જન્માષ્ટ્રમી, રક્ષાબંધન દરેક તહેવારો પણ શ્રાવણ મહિનાના સોમવારે આવ્યા હતા તો શ્રાવણ મહિનાની પૂર્ણાહત્પતિ પણ સોમવારે જ થઈ રહી છે. ૭૨ વર્ષના યોગ બાદ આ વર્ષે આવો અનોખો સંયોગ રચાયો હોવાથી ભાવિકોમાં ઉત્સાહ પણ ચાર ગણો જોવા મળી રહ્યો હતો.
આજે વહેલી સવારથી શિવ મંદિરોમાં ચાર પ્રહરની પૂજા, દ્રાભિષેક, દીપમાળા, ભકિત સંધ્યા સાથે ભાવિકો શિવભકિતમાં લીન થશે આજે અંતિમ સોમવાર સાથે સોમવતી અમાસ હોવાથી પણ અને ઘણું મહત્વ વધી ગયું છે. પિતૃ તર્પણ માટેનો ઉત્તમ દિવસ ગણાય છે. પીપળે પાણી રેડી પ્રદિક્ષણા ફરી ભાવિકો પિતૃ તર્પણની વિધિ કરે છે. અમાસની વૃદ્ધિ તિથિ હોવા થી સોમવારે પણ અમાસ છે અને મંગળવારે પણ અમાસ છે આમ શ્રાવણ મહિના નો આ પાંચમો સોમવાર છે પંચાંગ પ્રમાણે યોતિષના નિયમ પ્રમાણે આરાવારા તેરસથી શ થતા હોય છે પરંતુ આ વર્ષે રવિવારે ચૌદસ થી આરાવારા હોવાના લીધે એટલે કે રવિ, સોમ, મંગળ આરાવારા ગણાશે .આરાવારા માં લોકો પોતાના પિતૃઓને તૃ કરવા માટે મોક્ષ પ્રગતિ આપવા માટે પીપળે ગાગરમાં અથવા તો ત્રાંબાના લોટામાં પાણી ભરી અને પીપળે પિતૃઓને જળ અર્પણ કરે છે એ ઉપરાંત પીપળાની ૪. ૧૧ અથવા ૧૦૮ પ્રદક્ષિણા ફરે છે જે લોકો આખો શ્રાવણ મહિનો રહેતા હોય તેઓએ મંગળવારના દિવસે પણ શ્રાવણ મહિનાનો દિવસ છે .આથી આ દિવસ પણ રહેવાનો છે બુધવારથી ભાદરવા માસ ની શઆત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application