ધંધો–રોજગાર શરૂ કરવા માટે મહાપાલિકા બેન્કો મારફતે બે લાખ સુધી લોન આપશે

  • August 22, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ધંધો રોજગાર શ કરવા માટે બેંકો મારફતે .બે લાખ સુધીની લોન આપવામાં આવશે, જે પાંચથી સાત વર્ષમાં ચુકવવાની રહેશે તેમજ સાત ટકાથી ઉપરના વ્યાજ ઉપર સબસીડી અપાશે. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેકટ શાખાના ડીએવાય– એનયુએલએમ સેલની અખબારી યાદીમાં જણાવાયું છે કે શહેરના રોજગાર વાંછુંક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્ર્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વ–રોજગાર બેંકેબલ યોજના ઘટક હેઠળ ધંધો રોજગાર શ કરવા માટે .૨,૦૦,૦૦૦ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્ર્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવા પાત્ર છે. તથા આ યોજનાના લાભાર્થીને સાત ટકાથી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ., રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના–આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં સાત ટકાથી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રા થાય છે. લોન ભરપાઇ કરવાનો સમયગાળો પાંચ વર્ષ થી સાત વર્ષ રહેશે

આટલા ડોકયુમેન્ટસ હોવા જરૂરી
લોન મેળવવા ઇચ્છુકોએ આટલા જરી પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે જેમાં પાસપોર્ટ ફોટોગ્રાફ–૨, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, સ્કુલ લીવીંગ, જન્મનો દાખલો, મકાન વેરા બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ (વાહન લોન માટે), લાઇટ બિલ, ભાડે રહેતા હોયતો ભાડા ચિઠ્ઠી સહમતી પત્રક, કવોટેશન ઓરિજિનલ, બેંક ખાતાની પાસ બુકની નકલ સહિતનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લોકોને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડો.આંબેડકર ભવન, એનયુએલએમ સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઇ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application