રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એરપોર્ટ ફાટકનું કામ રાત્રીના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધી કરવા રાજકોટ ડિવીઝનલ રેલ્વે મેનેજર સમક્ષ રજુઆત કરાઇ છે.
હાલ રેલ્વે ડિપાર્ટમેન્ટ દ્વારા એરપોર્ટ ફાટક મેન્ટેનન્સ માટે ૭ દિવસ આંશીક રીતે બંધ રાખી રબ્બ સરફેસીંગ ટેકનોલોજી ફિટીંગનું કામ કરવામાં આવી રહી છે. પરંતુ આના કારણે દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જામ થવાની સમસ્યા રહે છે અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. તેમજ આજુ બાજુના વિસ્તારના રહેવાસીઓને પણ ઘણી તકલીફ પડી રહી છે. વધુમાં સાંઢીયા પુલનું કામ ચાલું હોવાથી તેનો તમામ ટ્રાફિક એરપોર્ટ રોડ પાસે ડાઈવર્ટ થઈ રહયો છે અને અકસ્માતો થવાનો પણ ભય રહે છે.
આથી આ એરપોર્ટ ફાટકનું મેન્ટેનન્સ કામ રાત્રીના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધી કરવું અને દિવસ દરમ્યાન ખુલ્લું રાખવું તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ ડિવીઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમાર સમક્ષ રજુઆત કરાઇ છે. જો આ મુજબ કામગીરી કરવામાં આવશે તો રાહદારીઓ અને વાહનચાલકોએ મુશ્કેલી ભોગવવી નહીં પડે તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ ડીઆરએમને કરેલી રજુઆતમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech