રાજકોટ તાંબાના ખીજડીયા ગામે રહેતા યુવકે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી આપઘાતની પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને ઘર પાસે ઓરડીનું બાંધકામ કરવું હોય જેમાં કૌટુંબિક ભાઈ અને ભાભી નડતર રૂપ થઈ ધાક ધમકી આપતા હોવાથો કંટાળી પગલું ભર્યું હોવાનું પોલીસ સમક્ષ જણાવતા પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ખીજડીયા ગામે રહેતા અને રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા ઈશ્વરભાઈ આલજીભાઈ રાઠોડ (ઉ.વ.38) નામના યુવકે ગઈકાલે ગામમાં આવેલા સ્કાયવિંગ કારખાના નજીક ઘઉંમાં નાખવાનો પાવડર પી લઇ ઘરે આવી પરિવારજનોને જાણ કરતા ઉલ્ટી ઉબકા થવા લાગતા તાકીદે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધ્યું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર ઈશ્વરભાઈએ પોલીસ સમક્ષ ફરિયાદમાં કૌટુંબિકભાઈ દિપક ભલાભાઈ રાઠોડ, અને ભાભી નીતાબેનના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતા જે જગ્યાએ ઓરડીમાં રહે છે એ જર્જરિત થઇ જતા નવી ઓરડી બનાવવા માટે તલાટી મંત્રીને સહાય માટેનો ફોન કર્યો હતો જે વાત કૌટુંબિક ભાભી સાંભળી જતા તેણે ઘરે જઈને કોંટુબિકભાઈ દીપકને વાત કરતા દિપકે તલાટીને કહ્યું હતું કે એની પાસે એક મકાન છે, આથી તલાટીએ જ્ગ્યાની માલિકીના પુરાવા લઇ આવવાનું કહ્યું હતું જે, ન હોવાથી હું ઓરડીના બાંધકામ માટે પાયો ખોદતો હતો ત્યારે ભાભી નીતાબેન ત્યાં આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે એક તો અમે અમારી જગ્યામાં ઓરડી બાંધવા દઈએ છીએ અહીં પડેલો સમાન હટાવતા નહીં નહિતર સારાવાટ નહીં રહે, જાનથી મારી નાંખીશુ અને ઝગડો કરવા લાગ્યા હતા. આથી હું માણસો લઇ કુવાડવા ચાલ્યો ગયો હતો. પરત આવતી વખતે ભાઈ અને ભાભી ઓરડી બનાવવામાં અડચણ રૂપ થતા હોવાનું મને લાગી આવતા પગલું ભર્યું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech