પરડવામાં પરપ્રાંતિય યુવાનનો એકલવાયા જીવનથી કંટાળી ગળાફાંસા દ્વારા આપઘાત

  • June 18, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહીને મજૂરી કામ કરતા એક પરપ્રાંતિય યુવાને પોતાની બીમારી તેમજ એકલવાયા જીવનથી કંટાળી જઈ ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહીને મજૂરી કામ કરતા રાકેશ નાથુરામ ખપેટ નામના ૧૮ વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો. આ બનાવ અંગે મૃતકની સાથે રહેતા જુગલસિંહ કલ્લુ રામપુરાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે શ્રમિક યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પરત દરમિયાન જેટલા ત્રણેક દિવસથી તાવ અને પેટની બીમારી થી પીડા તો હતો અને તે બીમારી તેમજ એકલવાયા જીવનથી કંટાળી જઇ આપઘાત નું પગલું ભ રીલી દુકાન પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application