તિરંગા યાત્રા સુપરહીટ; રાજકોટવાસીઓ ઉમટયા

  • August 10, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજ રોજ સવારે ૯ કલાકે ભવ્યાતિ ભવ્ય અને અભૂતપૂર્વ તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો. આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતાં. એકંદરે તિરંગા યાત્રા સુપરહિટ રહી હતી અને તેમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આ તિરંગા યાત્રાના અનુસંધાને ભવ્ય સ્ટેજ બનાવવામાં આવેલ, રેસકોર્ષ રિંગ રોડ ફરતે તેમજ બહત્પમાળી ભવન ચોકથી યુબિલી ગાર્ડન ખાતે પૂય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધીના યાત્રાના ટ પર આવેલ ઈમારતો પર તિરંગા લહેરાવવામાં આવેલ, ટ પર અલગ અલગ સ્થળ પર પરફોર્મન્સ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવેલ, તિરંગાના વિતરણ માટે અલગ અલગ સ્થળે નવ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી, ટ પર પાણી અને મેડીકલની ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી, યાત્રાના પાઈલોટીંગ માટે પોલીસના જવાનો અને બેન્ડ તેમજ ફાયર બ્રિગેડના જવાનો તૈનાત કરવામાં આવેલ હતા.

તિરંગા યાત્રા કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, ગુજરાત રાયના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, મેયર નયનાબેન પેઢડીયા સહિતના મહાનુભાવો દ્રારા બહત્પમાળી ભવન ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મસ્તક નમન અને પ્રણામ કરવામાં આવ્યા હતા.
આ તિરંગા યાત્રા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, પૂર્વ રાયપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, ગુજરાત રાયના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, સાંસદ પરસોત્તમભાઈ પાલા, રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રમુખ જીલ્લા પંચાયત રાજકોટ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ શહેર ભાજપ પ્રભારી પ્રકાશભાઈ સોની, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો. માધવ દવે, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ સભ્ય પરેશભાઈ આર. પીપળીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરી, રક્ષાબેન બોળીયા, જનકભાઈ કોટક, સૌરાષ્ટ્ર્ર યુનિ.ના કુલપતિ ડો. કમલસિંહ, સ્પોટર્સ યુનિ.ના કુલપતિ અર્જુનસિંહ રાણા, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, કોર્પેારેટર, શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેનશ્રી તથા તમામ સભ્યશ્રીઓ, શહેર ભાજપના હોદ્દેદારશ્રીઓ, વોર્ડ સંગઠનના હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, શહેર પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ, કલેકટર કચેરીના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પ્રેસ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

યારે તદઉપરાંત વિવિધ વ્યવસાયિક એસોસિએશન, વિવિધ ચેમ્બર્સ, ઇન્ડસ્ટ્રીયલ એસો., વિવિધ સમાજ, બિલ્ડર્સ, આર્કીટેકટ, કન્સલ્ટન્ટન્ટ એસો., એન્જીનિયરીંગ એસો., તાબા હેઠળના કોન્ટ્રાકટરોના કર્મચારીઓ, ધાર્મિક સંગઠનો, એનજીઓ, સખી મંડળો, રમત ગમતની સંસ્થાઓ, એંએસએસ, એનસીસી, આઇએમએ, કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસો., હોટેલ, રેસ્ટોરન્ટ, ફડ વેન્ડર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, મનપા સંચાલિત હાઈસ્કૂલો, યુનિવર્સીટીના વિધાર્થીઓ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હેઠળની ખાનગી શાળાઓ તથા ટ્રસ્ટ સંચાલિત શાળાઓના વિધાર્થીઓ, સ્માર્ટ સોસાયટીઓ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા.
આ તિરંગા યાત્રામાં શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્રારા કરવામાં આવેલ તેમજ મંચસ્થ મહાનુભાવોનું ફલછોડના કુંડા અર્પણ કરી સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને વાઈસ ચેરમેન પરેશ આર. પીપળીયા દ્રારા કરવામાં આવેલ. ડાયસ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો દ્રારા તિરંગા યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવેલ અને સર્વે મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા ટના પુર્ણાહત્પતિ સ્થળ યુબિલી ચોક ખાતે યુબિલી ગાર્ડનમાં આવેલ પૂય મહાત્મા ગાંધીજીની પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા સંપન્ન કરવામાં આવેલ. આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતાં અને આ યાત્રાને અભૂતપૂર્વ અને યાદગાર યાત્રા બનાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application