જામનગરમાં ઝાપટા: તાપમાન 31 ડીગ્રી

  • August 12, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડુતો વાવણી કાર્યમાં લાગી ગયા: હવે ઉઘાડ નિકળે તો પાક સારો થઇ શકે


મેઘરાજાએ હાલારમાં વિરામ લીધો છે, પરંતુ જામનગર શહેરમાં દિવસમાં બે થી ત્રણ વખત ઝાપટા આવ્યા કરે છે અને રાજમાર્ગો ભીના થાય છે ત્યારે ગઇકાલે તાપમાન 30.9 ડીગ્રી રહ્યું હતું, બીજી તરફ ખેડુતો મગફળી અને કપાસના પાકના વાવેતરમાં લાગી ગયા છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  30.9 ડીગ્રી, લઘુતમ તાપમાન 26.5 ડીગ્રી, હવામાં ભેજ 87 ટકા અને પવનની ગતિ 20 થી 25 કિ.મી. પ્રતિકલાક રહી હતી. જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે.


કાલાવડ અને જામજોધપુરમાં મોટાભાગે કપાસ અને મગફળીનું વાવેતર વધુ થાય છે, લગભગ સવા બે લાખ હેકટરમાં વાવણી થઇ ગયાનો અંદાજ છે, બંને તાલુકામાં સારો વરસાદ થયો છે, જો કે આ વખતે સોળઆની વર્ષ થાય તેવી પણ શકયતા છે.


આ વખતે હવામાન ખાતાએ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં 110 થી 114 ટકા વરસાદ થશે તેવી આગાહી કરી હતી, દ્વારકા જિલ્લામાં તો ટાર્ગેટ પુરો થઇ ગયો છે અને હજુ તો ચોમાસુ 45 ટકા ગયું છે ત્‌યારે આગામી દિવસોમાં હજુ સાતમ-આઠમ ઉપર વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application