પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળા માટે વીજતંત્ર દ્વારા ૨૦૦ કેવીએના ત્રણ ટ્રાન્સફોર્મર ઊભા કરાયા

  • August 19, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેળા માટે બે ઇલેવન કે.વી. ના ફીડરનો પાવર સપ્લાય ઉપલબ્ધ કરાવાયો: ૪૮૧ કિલો વોટ ના ૧૫ હંગામી કનેક્શન અપાયા


જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે, અને નાની મોટી મશીન મનોરંજન ની રાઈડ ચાલુ કરવા માટેનો પૂરતો વીજ સપ્લાય ચાલુ રહે, તે માટે પ્રદર્શન મેદાનની આગળ અને પાછળના ભાગે જુદા જુદા ૨૦૦ કેવીએ ના ૩ ટ્રાન્સફોર્મર ઊભા કરી દેવામાં આવ્યા છે, અને ૬૦૦ કે.વી.એ.નો વિજ લોડ ઉપલબ્ધ કરાવાયો છે.


જે જુદા જુદા ૧૧ કેવીએ ના જુદા જુદા બે ફીડર મારફતે મેળા મેદાનમાં પાવર સપ્લાય ચાલુ રહેશે તે પ્રકારની વ્યવસ્થા પીજીવીસીએલ ના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન દ્વારા મેળાના પ્રારંભ પહેલાં જ ઊભી કરી લેવામાં આવી છે.


જામનગર ના શ્રાવણી મેળાના રાઈડ ધારકો અને સ્ટોલ ધારકો વગેરે દ્વારા અલગ અલગ ૧૫ જેટલા હંગામી વીજ કનેક્શન મેળવવામાં આવ્યા છે, અને ૬૦૦ કિલો વોટ પૈકી ૪૮૧ કિલો વોટ નું વિભાજન કરીને વિજ તંત્ર દ્વારા હંગામી વિજ જોડાણ આપવા માટેની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી છે.


સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન ના નાયબ ઈજનેર અજય પરમાર તેમજ જુનીયર શ્રી શર્મા અને સમગ્ર ટિમ દ્વારા મેળાના ૧૫ દિવસ માટેની જરૂરી સ્ટાફની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મેળા મેદાન ની અંદર ૫૦ થી વધુ થાંભલાઓ ઊભા કરીને તેમજ ૧૦૦ થી વધુ હેલોજન લાઇટ લગાવીને સમગ્ર મેળા મેદાન ને ઝળહળતું, કરવામાં આવ્યું છે. તેમજ લાઈટ જવાની સંભાવના ઉપસ્થિત થાય, તો તેના વિકલ્પ રૂપે જનરેટર સહિતની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application