પોરબંદરને જોડતા ૧૫૩ કિ.મી.ના ત્રણ રસ્તા નેશનલ હાઇવે તરીકે થયા જાહેર

  • March 26, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
પોરબંદર -ખંભાળીયા રોડની કુલ ૭૧ કી.મી. લંબાઈ પૈકી ૬૬ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરાયેલ છે. પોરબંદર-ભાણવડ રસ્તાની કુલ ૪૦.૪ કી.મી. લંબાઈ પૈકી ૩૫.૩ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે.પોરબંદર-રાણાવાવ ત્રણ પાટીયાની કુલ ૫૭.૧ કી.મી લંબાઈ પૈકી ૫૧.૯ કી.મી. લંબાઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે
પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ અંગે વિધાનસભામાં માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્ર્નોના જવાબમાં માર્ગ અને મકાન વિભાગ સંભાળી રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ અંગે  ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદર -ખંભાળીયા રોડની કુલ ૭૧ કી.મી. લંબાઈ પૈકી ૬૬ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે પોરબંદર-ભાણવડ રસ્તાની કુલ ૪૦.૪ કી.મી. લંબાઈ પૈકી ૩૫.૩ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે. સાથે જ પોરબંદર-રાણાવાવ ત્રણ પાટીયાની કુલ ૫૭.૧ કી.મી લંબાઈ પૈકી ૫૧.૯ કી.મી. લંબાઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આમ આ ત્રણ રસ્તાઓની કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application