પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
પોરબંદર -ખંભાળીયા રોડની કુલ ૭૧ કી.મી. લંબાઈ પૈકી ૬૬ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરાયેલ છે. પોરબંદર-ભાણવડ રસ્તાની કુલ ૪૦.૪ કી.મી. લંબાઈ પૈકી ૩૫.૩ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે.પોરબંદર-રાણાવાવ ત્રણ પાટીયાની કુલ ૫૭.૧ કી.મી લંબાઈ પૈકી ૫૧.૯ કી.મી. લંબાઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે
પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ અંગે વિધાનસભામાં માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્ર્નોના જવાબમાં માર્ગ અને મકાન વિભાગ સંભાળી રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદર -ખંભાળીયા રોડની કુલ ૭૧ કી.મી. લંબાઈ પૈકી ૬૬ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે પોરબંદર-ભાણવડ રસ્તાની કુલ ૪૦.૪ કી.મી. લંબાઈ પૈકી ૩૫.૩ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે. સાથે જ પોરબંદર-રાણાવાવ ત્રણ પાટીયાની કુલ ૫૭.૧ કી.મી લંબાઈ પૈકી ૫૧.૯ કી.મી. લંબાઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આમ આ ત્રણ રસ્તાઓની કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોરાજીમાં 16 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આરનાર નરાધમ કાકાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી
March 29, 2025 05:26 PMજમીનમાં ભાગ માંગી મોટાભાઈએ ધારિયાથી નાનાભાઈનું ઢીમ ઢાળી દીધું
March 29, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech