દ્વારકામાં સગા ભાઈ ઉપર હુમલો કરવાના કેસમાં ભાઈ-ત્રણ ભત્રીજાને છ માસની સજાનો આદેશ

  • January 11, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકાન ખાલી કરવા નાં ઝગડામા દ્વારકામાં ભાઇ ઉપર સગા ભાઈ અને ભાઈ ના ત્રણ સંતાનો દ્વારા હુમલો કરવા નાં  કેસ માં તમામ ચાર આરોપીઓને અદાલતે છ માસ ની સજા અને એક -એક  હજાર ની રકમ નાં દંડ નો હુકમ કર્યો છે.


દ્વારકામાં રહેતા રમેશભાઈ નાથાભાઈ પરમાર ઉપર મકાન ખાલી કરવાના પ્રશ્ને તેને જ સગા ભાઈ ભીખુભાઈ નાથાભાઈ પરમાર અને ત્રણ ભત્રીજાઓ કમલેશ ભીખુભાઈ , હરેશ ભીખુભાઈ અને દિલીપ ભીખુભાઈ એ ધોકા વાડે હુમલો કરી માર માર્યો હતો અને જાન.થી મારી નાખવા ની ધમકી આપી હતી. આ.અંગે રમેશભાઈ નાથાભાઈ પરમાર ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હતી .


આ અંગેનો કેસ એડી. ચીફ.જીડીસીયલ  મેજિસ્ટ્રેટ શ્રી.કે કે પટેલ ની અદાલત માં ચાલી જતા તમામ ચાર આરોપીઓને છ માસની સજા અને ૧૦૦૦ નાં દંડ અને દંડ ની રકમ ભરપાઈ ના કરે તો વધુ એક માસ ની સજા નો અદાલતે આદેશ કર્યો  હતો. આ કેસમાં સરકાર પક્ષે  એપીપી સુનિતાબેન પી પરમાર રોકાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application