શહેરના આનંદનગરમાં ભાડેથી રહેતા વૃધ્ધાને મકાન માલિક માતા, પુત્રી અને પુત્રએ મકાન ખાલી કરી આપવા અને જો ખાલી ન કરવું હોયતો ભાડુ વધારી આપવાનું કહી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા વૃધ્ધાએ ગભરાઈ જઈ પોતાના ઘરે જાતેથી ફિનાઈલ ગટગટાવી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ઘોઘા રોડ પોલીસે વૃધ્ધાની ફરિયાદ લઈ બનાવની તપાસ હાથ ધરી છે.
ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના આનંદનગર વિસ્તારના છેલ્લા બસ સ્ટેન્ડ નજીક ભાડેથી રહેતા દેવીબેન દિલીપભાઈ જગડ, સિંધી (ઉ. વ. ૫૯)એ ઘોઘા રોડ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી. કે શહેરના કરચલીયા પરા માં રહેતા મેહુલ નામના શખ્સનું મકાન ભાડે રાખેલ હોય જે ભાડાની સમય મર્યાદા પુરી થતા મેહુલે મકાન ખાલી કરી આપવાનું કહેતા દેવીબેને અન્ય મકાન મળ્યેથી ખાલી કરી આપવાનું કહેતા મકાન માલિક મેહુલે ૧૫દિવસની મુદત આપી હોય જે મુદત તા. ૧૫-૦૯ના રોજ પુરી થતા મેહુલ અને તેની માતા તેમજ તેની બહેનએ પોતાના ઘરે આવી આજે તમારી મુદત પુરી થાય છે., મકાન ખાલી કરી આપો અથવા મકાનનું ભાડુ ૫૦૦૦ કરી આપો તેમ કહી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા જેને લઈ પોતે ગભરાઈ ગયા હતા અને અન્ય સ્થળે મકાન ન મળતા ઘરે જાતેથી ફિનાઈલ પી લીધું હતું. આ અંગે ઘોઘા રોડ પોલીસે દેવીબેનની ફરિયાદ લઈ મેહુલ, તેની માટે તેમજ બહેન સામે જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનની આગામી ચાર ટ્રિપનું ઉત્તર પ્રદેશમાં માર્ગાંતર
April 19, 2025 03:14 PMછૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ કરવામાં આવેલી દહેજ ની ફરિયાદથી સુપ્રીમ પણ ચોંકી
April 19, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech