કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા રણછોડભાઈ મનજીભાઈ કણજારીયા નામના 44 વર્ષના સતવારા યુવાનની મોટરકારને થોડા સમય પૂર્વે દીપક વાલજી પરમાર નામના શખ્સએ સળગાવી નાખી હતી. જે અંગે તેમણે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. આ બાબતનો ખાર રાખીને ફરિયાદી રણછોડભાઈના પિતરાઈ ભાઈ રાજેશભાઈ નારણભાઈ કણજારીયાને આરોપી દિપક પરમારએ ધમકી આપી હતી કે હજી તો રણછોડની ગાડી જ સળગાવી દીધી છે, અને હવે તેનું મકાન પણ સળગાવી નાખીશ. ક્યાંય મળશે તો તેને જાનથી મારી નાખીશ - તેવી ધમકી આપતા આ અંગે કલ્યાણપુર પોલીસે રણછોડભાઈ કણજારીયાની ફરિયાદ પરથી દીપક વાલજી પરમાર સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
દ્વારકા નજીક કારની અડફેટે વૃદ્ધા ઇજાગ્રસ્ત
દ્વારકા તાલુકામાં રહેતા ગાંગીબેન નામના એક વૃદ્ધ મહિલા હાઈવે નજીક આવેલી મીરા હોટલ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે ગાંગીબેનને અડફેટે લેતા તેમને ફ્રેકચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે વૃદ્ધાના જમાઈ ભરતભાઈ આલાભાઈ પરમાર (ઉ.વ. 37) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech