વિમાનોને ઉડાવી દેવાની ધમકી સાથે જોડાયેલા કિસ્સાઓ અટકી રહ્યા નથી. જેમાં આજે એક જ સાથે ૮૫ વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં એર ઈન્ડિયાના ૨૦ વિમાન સામેલ છે. છેલ્લા આઠ દિવસમાં દિલ્હી પોલીસે ૯૦ થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્ર્રીય લાઇટસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંદર્ભમાં આઠ અલગ–અલગ એફઆઈઆર નોંધી છે. જે વિમાનોને ધમકીઓ મળી છે તેમાં ૨૦ ઈન્ડિગો, ૨૦ વિસ્તારા અને ૨૫ આકાસા લાઈટસનો સમાવેશ થાય છે.
દિલ્હી પોલીસના સાયબર સેલની વિવિધ ટીમો એકસ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈટસ પર ચાલી રહેલા જોખમોને લઈને ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં ૧૭૦થી વધુ લાઈટસને બોમ્બની ધમકી મળી છે. દરમિયાન, સરકાર એરલાઇન્સને બોમ્બની ધમકીઓને પહોંચી વળવા માટે કાયદાકીય પગલાંની યોજના બનાવી રહી છે, જેમાં ગુનેગારોને નો–લાય લિસ્ટમાં મૂકવાનો સમાવેશ થાય છે.
માહિતી અનુસાર આ પહેલા દિલ્હી પોલીસે ૯૦ થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્ર્રીય લાઇટસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંબંધમાં છેલ્લા આઠ દિવસમાં આઠ અલગ–અલગ એફઆઈઆર નોંધી છે. જે લાઈટને ધમકીઓ મળી છે તેમાં અકાસા, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારાની સેવાઓ સામેલ છે. આ લાઇટસ દિલ્હીથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્ર્રીય સ્થળો માટે ઓપરેટ થાય છે. પોલીસનું કહેવું છે કે આ મામલામાં તપાસ ચાલી રહી છે.
એક વરિ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એકસ પર ધમકીભર્યા સંદેશા મળ્યા હતા. જેમાં અધિકારીઓએ તેને નકારી કાઢા હતા. પહેલો કેસ ૧૬ ઓકટોબરના રોજ બેંગલુ જતી અકાસા લાઈટને નિશાન બનાવવાનો હતો. એસએમએસ દ્રારા બોમ્બની ધમકી મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પ્લેનમાં ૧૮૦થી વધુ મુસાફરો સવાર હતા. વિમાને દિલ્હી પરત ફરવું પડુ.ં બીજા દિવસે, પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસને એક પત્ર લખીને ધમકીભર્યા સંદેશાઓ પોસ્ટ કરતા એકાઉન્ટની વિગતો માંગી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech