સોશિયલ મીડિયા ક્લિપમાં કથિત રીતે દશર્વિવામાં આવ્યું છે કે એક વ્યક્તિ હિંદુ ધર્મ અને રાજકીય વ્યક્તિઓ વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણી કરે છે જ્યારે આગામી મહા કુંભની મુખ્ય તારીખો દરમિયાન આતંકવાદી કૃત્યોની ધમકી આપે છે.
મહાકુંભ 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા સ્નાન સાથે શરૂ થશે અને 26 ફેબ્રુઆરી (મહા શિવરાત્રી) ના રોજ સમાપ્ત થશે. પ્રયાગરાજમાં ટેન્ટ સિટીનો પ્રયાગરાજમાં આગામી મહાકુંભને વિક્ષેપિત કરવાની અને તેમાં આતંકવાદી હુમલાઓ કરવાની ધમકી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર થયા બાદ ચિંતામાં વધારો થયો છે. આ ફૂટેજમાં કથિત રીતે એક વ્યક્તિ હિંદુ ધર્મ અને રાજકીય વ્યક્તિઓ વિરુદ્ધ ભડકાઉ ટીપ્પણી કરતો દેખાયો છે. પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહા કુંભની મુખ્ય તારીખો - 14 જાન્યુઆરી (મકરસંક્રાંતિ), જાન્યુઆરી 29 (મૌની અમાવસ્યા), અને 3 ફેબ્રુઆરી, 2025 (બસંત) છે અને તે દરમિયાન આતંકવાદી હુમલાઓ કરી આ આયોજનને વેર વિખેર કરી નાખવાની ધમકી અપાઈ છે. આથી પોલીસ સાબદી બની ગઈ છે અને પોલીસે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. અધિકારીઓએ એક નિવેદનમાં આવી ધમકી મળી હોવાની બાબત ની પુષ્ટિ કરી અને ઉમેર્યું કે આ બાબત તપાસ હેઠળ છે. જો કે, તેઓએ સંડોવાયેલા લોકો વિશે વિગતો જાહેર કરવાનું ટાળ્યું હતું.
યોગી આદિત્યનાથના સુરક્ષા પગલાં વધુ સઘન બનાવવા આદેશ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને મહા કુંભ પહેલા સુરક્ષા પગલાં વધુ કડક કરવા વિનંતી કરી હતી, તેમણે ડ્રોન વિરોધી ટેક્નોલોજીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને તમામ તૈયારીઓ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જાય તેની ખાતરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. નોંધનીય છે કે, મહાકુંભ 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા સ્નાન સાથે શરૂ થશે અને 26 ફેબ્રુઆરી (મહા શિવરાત્રિ) ના રોજ સમાપ્ત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech