ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ શત્રુંજય ગિરિરાજની વર્ષમાં એક જ દિવસ મોટી યાત્રા થાય છે, જે છ'ગાઉની મહાયાત્રા કહેવાય છે, જે ફાગણ સુદ તેરસના દિવસે જ થાય છે.આજે આ યાત્રા યોજાઈ હતી.જેને ઢેબરા તેરસ કહે છે.તેમાં એક લાખ જેટલા જૈન અને જૈનેતરો વહેલી સવારથી ઉમટ્યા હતા.
જ્યારે કચ્છી જૈન સમાજ એક દિવસ પૂર્વે એટલે શુક્રવારે યાત્રા કરી હતી. યાત્રા દરમિયાન કોઈ પણ યાત્રિકોને અગવડ ન પડે તેના ભાગ રૂપે સિદ્ધવડ ખાતે ૯૦ જેટલા પાલ ઉભા કરાયા છે.
ભાવિકોએ પાલીતાણા શહેરમાં આવેલ તળેટીથી પ્રારંભ કરીને ગિરિરાજ ઉપર દાદા આદેશ્વર ભગવાનના દર્શન કરી પાછળની બાજુ એટલે કે ઉલ્લખાજલ, ચંદન તલાવડી ,ભાડવા ડુંગર પર રહેલ ચરણ પાદુકાના દર્શન કરી પાછા આદપુર ગામમાં આવેલા સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ કરી હતી.છ ગાઉની યાત્રા ખુલ્લા પગે કરવાથી કર્મોની ધૂળ દૂર થાય છે.ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર શાંબ અને પ્રદ્યુમન સાડા ચાર કરોડ મુનિઓ સાથે આ યાત્રા કરીને મોક્ષ
પ્રાપ્ત કર્યો હતો.
આ જાત્રા કરનાર શ્રદ્ધાળુઓનું સિદ્ધવડ ખાતે બહુમાન કરી સંઘપૂજન કરાઇ છે. તેમજ સિદ્ધવડખાતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને દેશભરના વિવિધ જૈન સંઘો અને મંડળો દ્વારા ૯૦ જેટલા પાલ ઊભા કરાયા છે. જેમાં ચા-પાણી, ઢેબરા-દહીં, ખાખરા, તરબૂચ, દ્રાક્ષ, તેમજ લીંબુ શરબત,વરીયાળી શરબત, શેરડીનો રસ, સાકર પાણી, સહિતની અલગ અલગ વયવસ્થા કરવામાં આવી હતી . જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ ધર્મલાભ લીધો છે.આ ઉપરાંત ચોવિહારની પણ વ્યવસ્થા ભાવિકો માટે ઉભી કરવામાં આવી છે. આ યાત્રા માટે એસ. ટી. તંત્ર દ્વારા ૪૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનીરવ મોદીનું પ્રત્યાર્પણ ૨૦૨૬ સુધી મુલતવી
February 28, 2025 10:31 AMસંગ્રહખોરીને લીધે ફુગાવો વધ્યો, હોલસેલ અને રીટેલ ભાવ વચ્ચે મોટું અંતર
February 28, 2025 10:29 AMચીની જહાજો પાસેથી 10 લાખ ડોલર વસૂલશે અમેરિકા, ભારતને પણ ફટકો
February 28, 2025 10:27 AMયુવાનને ટૂંપો આપી હત્યા કરી લાશ ચેકડેમમાં ફેંકી દીધી
February 28, 2025 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech