હજારો વર્ષ પહેલા સિંધુ ખીણ સંસ્કૃતિનો કઈંક આવી રીતે થયો હતો અંત, નવા અભ્યાસમાં ચોકાવનારો ખુલાસો  

  • September 11, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિંધુ ખીણની સંસ્કૃતિ તેની શહેરી વ્યવસ્થા માટે જાણીતી હતી. હજારો વર્ષ પહેલા પાણી પુરવઠા અને ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા હતી. સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો 3300 BC થી 1300 BC સુધીનો માનવામાં આવે છે. આટલી સમૃદ્ધ વ્યવસ્થા અચાનક કેવી રીતે નાશ પામી? એક નવા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.


ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મેટ્રોલોજી (IITM), પૂણેના સંશોધકોના જણાવ્યા અનુસાર, સિંધુ ખીણની સંસ્કૃતિ આબોહવાના પરિબળોને કારણે નાશ પામી હતી. અભ્યાસમાં તેમણે જણાવ્યું હતું કે આ આબોહવા સંબંધિત પરિબળો આજના ચોમાસાને અસર કરતા પરિબળો જેવા જ હતા. આબોહવા પરિબળોની ક્રિયાપ્રતિક્રિયા કદાચ 4,000 વર્ષ પહેલાં લાંબા દુષ્કાળને કારણે સિંધુ ખીણની સંસ્કૃતિના પતન તરફ દોરી ગઈ હતી.


સિંધુ ખીણની સંસ્કૃતિના અંત પર સંશોધન

IITMના સંશોધકોએ દક્ષિણ ભારતમાં ગુપ્તેશ્વર અને કુડ્ડાપાહ ગુફાઓમાંથી પ્રાચીન ગુફા રચનાઓનું વિશ્લેષણ કર્યું. અભ્યાસમાં જાણવા મળ્યું કે કેવી રીતે નીચા સૌર કિરણોત્સર્ગ, અલ નીનો, ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન (ITCZ)નું દક્ષિણ તરફ સ્થળાંતર અને હિંદ મહાસાગર દ્વિધ્રુવ (IOD) ના નકારાત્મક તબક્કાએ સામૂહિક રીતે ચોમાસાને નબળું પાડ્યું હતું. જેના કારણે પ્રાચીન સભ્યતાનો પતન થયો. તેમના સંશોધનના પરિણામો ક્વાટરનરી ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયા છે.


સંશોધન ટીમે દ્વીપકલ્પીય ભારતમાં ગુફાઓમાં જમા થયેલા અવશેષોનું વિશ્લેષણ કર્યું. તેઓએ 7,000 વર્ષ જૂના આબોહવા રેકોર્ડ શોધ્યા. આ વિસ્તારના ભૂતકાળના આબોહવા ફેરફારો વિશે માહિતી પ્રદાન કરે છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં હડપ્પા અને મોહેંજોદડો જેવા મુખ્ય શહેરો હતા. આ સાથે ધોળાવીરા, લોથલ અને રાખીગઢી જેવી વસાહતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application