રામલલ્લાની પ્રાણ પ્રતિા માટે આ મૂર્તિ પસદં કરાઈ

  • January 02, 2024 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિાની તારીખ નજીક આવી રહી છે જેની કરોડો ભકતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિા માટે ત્રણમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર તેની તસવીર શેર કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક તસવીર શેર કરી હતી. તસવીર શેર કરતાં તેમણે કહ્યું કે, 'અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને અંતિમ સ્વપ આપવામાં આવ્યું છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અણ દ્રારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.

તેમણે લખ્યું કે, યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર આપણા ગૌરવ યોગીરાજ અણ દ્રારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.

કર્ણાટક ભાજપના વરિ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પણ આવો જ દાવો કર્યેા હતો અને ખુશી વ્યકત કરી હતી. પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે મૈસૂરના મૂર્તિકાર અણ યોગીરાજે બનાવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યાના ભવ્ય શ્રીરામ મંદિરમાં સ્થાપિત કરવા માટે પસદં કરવામાં આવી છે જેનાથી રાયના તમામ રામભકતોનું ગૌરવ અને ખુશી બમણી થઇ ગઇ છે. શિલ્પી યોગીરાજ અણને હાર્દિક અભિનંદન.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application