Elvish Yadavના સાપના ઝેર કેસ પર આ બિગબોસ સ્પર્ધકે કર્યુ રિએક્ટ, પાંચ દિવસમાં મળી રાહત તો કહી દિધી આ વાત

  • March 22, 2024 11:45 PM 

સાપના ઝેરની તસ્કરીના કેસમાં ફસાયેલા એલ્વિશ યાદવને થોડી રાહત મળી છે. તાજેતરમાં જ તેને નોઈડા પોલીસે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં લઈ લીધો હતો. જોકે એલ્વિશ યાદવને પાંચમા દિવસે જ જેલમાંથી જામીન મળી ગયા હતા. એક પ્રખ્યાત બિગ બોસ 17 સ્પર્ધકે આના પર પ્રતિક્રિયા આપી છે જે વાયરલ થઈ રહી છે.


એલ્વિશ યાદવ સાપના ઝેરની દાણચોરીના કેસમાં ચર્ચામાં છે. લાંબી કાર્યવાહી બાદ તાજેતરમાં નોઇડા પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે 5 દિવસમાં જ કોર્ટે તેને રાહત આપી છે. આ સાથે જ એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવી ગયો છે. જેના પર હવે બિગ બોસના એક લોકપ્રિય સ્પર્ધકે પ્રતિક્રિયા આપી છે.


એલ્વિશ યાદવ ગયા વર્ષથી સાપના ઝેરના કેસને લઈને ધ્યાન ખેંચી રહ્યા છે. હાલમાં જ તેની ધરપકડ બાદ આ કેસને લઈને અનેક અપડેટ્સ સામે આવ્યા છે. આ દરમિયાન ઘણા સ્ટાર્સે તેને સપોર્ટ કર્યો હતો.


એલ્વિશના જામીન પર આપી પ્રતિક્રિયા

બિગ બોસ ઓટીટી સીઝન 2 ના વિજેતા એલ્વિશ યાદવ અને તેના પરિવારને સપોર્ટ કરનારાઓની યાદીમાં અભિષેક કુમારનું નામ પણ સામેલ છે. અભિનેતા પહેલાથી જ સાપના ઝેર મુદ્દે એલ્વિશ યાદવને સમર્થન આપી ચૂક્યો છે. હવે તેણે પણ તેની મુક્તિ પર પ્રતિક્રિયા આપી છે.


અભિષેકે એલ્વિશ માટે ખુશી વ્યક્ત કરી

એલ્વિશ યાદવને નોઈડા પોલીસે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં લીધો હતો. જોકે તેને જામીન મળવાની માહિતી તેની ધરપકડના પાંચમા દિવસે 22 માર્ચે જ સામે આવી હતી. આ સમાચાર સામે આવતા જ અભિષેક કુમારે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે ટ્વિટર પર ટ્વીટ કરીને લખ્યું કે, "જય શ્રી રામ, કહ્યું હતું કે બધું સારું થશે...બેલ મંજૂર."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application