શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં ઘરમાં એકલા રહેતા વૃધ્ધા સાધુ વાસવાણી રોડ પર રહેતી દીકરીના ઘરે આટા મારવા માટે ગયા હતા જયા ૪ દિવસ રોકાયા બાદ ઘરે પરત ફરતા બધં મકાનમાં ચોરી થઈ ગયાનું માલુમ પડયું હતું. તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડ રૂા.૨૦ હજાર અને રૂા.૨.૫૪ લાખના દાગીના સહિત કુલ રૂા.૨.૭૫ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. ચોરીના આ ઘટના અંગે વૃધ્ધાએ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફટેજના આધારે બધં મકાનમાં ચોરી કરનાર તસ્કરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ચોરીની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના ગાયત્રીનગર શેરી નં.૨૧૦ના ખુણે ભીમનાથ મહાદેવ મંદિર સામે માતૃ કૃપા મકાનમાં રહેતા પ્રવિણાબેન છોટાલાલ મહેતા ઉ.વ.૭૮ નામના વૃધ્ધાના બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું અહીંથી રૂા.૨.૭૪ લાખની મત્તા તસ્કરો ઉસેડી ગયા હતા જે અંગેની જાણ થતા ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફે અહીં પહોંચી તપાસ હાથ ધરી હતી.
ચોરીના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પ્રવિણાબેન અહીં ઘરે એકલા જ રહેતા હોય તેઓ ગત તા.૮ના રોજ સાધુ વાસવાણી રોડ પર રહેતી પોતાની પુત્રના ઘરે ગયા હતા અને દીકરીના ઘરે ૪ દિવસ સુધી રોકાયા બાદ આજરોજ સવારે ઘરે પરત ફરતા મકાનમાં ચોરી થઈ ગયાનું માલુમ પડયું હતું. બાદમાં તપાસ કરતા મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલ રૂા.૨,૫૪,૧૫૦ની કિંમતના ઘરેણા અને રૂા.૨૦ હજાર રોકડ સહિત કુલ રૂા.૨,૭૪,૧૫૦ની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે પ્રવિણાબેનની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
પીઆઈ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ રાઈટર નિલેશભાઈ સહિતના સ્ટાફે ચોરીના આ ઘટનાને લઈ અહીં આસપાસના સીસીટીવી ફટેજો તપાસ તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech