18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થયું છે, જે 3 જુલાઈ સુધી ચાલશે. પ્રોટેમ સ્પીકરે નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન 7 સાંસદ એવા પણ છે જેમણે શપથ લીધા નથી. ચાલો જાણીએ શું છે કારણ?
સંસદ સત્રની કાર્યવાહીનો આજે બીજો દિવસ હતો. બે દિવસમાં નવા ચૂંટાયેલા સાંસદોએ લોકસભાના સભ્યો તરીકે શપથ લીધા હતા. આ સમયગાળા દરમિયાન 7 સાંસદોએ પદના શપથ લીધા ન હતા. જ્યારે કોંગ્રેસે લોકસભા સ્પીકર ચૂંટણીને લઈને સાંસદોને વ્હિપ જારી કર્યુ છે, તો એનડીએએ તમામ સાંસદોને સવારે 10.30 વાગ્યા સુધી સંસદમાં રહેવા માટે કહ્યું છે. આવી સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે આ સાત સાંસદો સ્પીકરની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે ચાર સાંસદો શપથ લઈ શકે છે. ચાલો જાણીએ કોણ છે તે 7 સાંસદ?
અફઝલ અન્સારીએ શપથ લીધા ન હતા
ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી ચૂંટાયેલા સાંસદ અફઝલ અન્સારીએ શપથ લેવડાવ્યા ન હતા. તેઓ સંસદમાં પણ આવ્યા હતા, પરંતુ કોર્ટના આદેશને ટાંકીને તેમને આ કાર્યવાહીથી વંચિત રાખવામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીએ આ અંગે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી હતી.
અમૃતપાલ સિંહ અને એન્જિનિયર રાશિદ જેલમાં
એન્જિનિયર રાશિદ અને અમૃતપાલ સિંહ ચૂંટણી જીત્યા, પરંતુ સાંસદ તરીકે શપથ લીધા ન હતા. આ બંને હાલ જેલમાં છે. એન્જિનિયર રાશિદે બારામુલાથી ઉમર અબ્દુલ્લાને જેલમાંથી જ હરાવ્યા હતા. તે જ સમયે અમૃતપાલ સિંહ પણ જેલમાં બેસીને પંજાબની ખડુર સાહિબ સીટથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. બંને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા.
કોંગ્રેસના એક સાંસદ અને ટીએમસીના 3 સાંસદોએ શપથ ન લીધા
પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ અને તેમના સહયોગી પ્રમુખ અધિકારીઓએ લોકસભાના સાંસદોને શપથ લેવડાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે હજુ સુધી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા નથી, ત્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના ત્રણ સાંસદો પણ કાર્યવાહીથી વંચિત રહ્યા હતા. શપથ ન લેનારા TMC સાંસદોમાં શત્રુઘ્ન સિન્હા, નૂરૂલ ઇસ્લામ અને દીપક અધિકારીનો સમાવેશ થાય છે. એવી અટકળો છે કે આ ચાર સાંસદો આવતીકાલે શપથ ગ્રહણ કરી શકે છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે તેઓ સ્પીકર ચૂંટણી પહેલા શપથ લેશે કે પછી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech