હવામાન વિભાગની તાજેતરની આગાહી જણાવે છે કે દક્ષિણ–પશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ યથાવત છે. જેના કારણે ચોમાસું નિર્ધારિત સમય કરતા પહેલા આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી, તે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ભાગો તેમજ લક્ષદ્રીપ અને આંદામાન નિકોબાર સહિત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આગળ વધી ચૂકયું છે. આ સિવાય ચોમાસું પૂર્વેાત્તરના તમામ રાયોમાં પણ પહોંચી ગયું છે.
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી એક–બે દિવસમાં ચોમાસું પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખડં અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે. સામાન્ય રીતે, બિહારમાં ચોમાસાની એન્ટ્રીની તારીખ ૧૦ જૂન હોય છે, પરંતુ તે લગભગ એક અઠવાડિયા પહેલા રાયના પૂર્વ ભાગમાં આવી શકે છે. નવી સેટેલાઇટ ઇમેજરીના આધારે, આજે (સોમવાર, ૩ જૂન) જોવા મળેલી ચોમાસાની રેખા બંગાળમાં કૂચ બિહાર અને કિશનગંજની આસપાસનો વિસ્તારમાં છે. દરમિયાન, આઇએમડીએ કેરળ અને માહેમાં ભારે (૬૪.૫–૧૧૫.૫ એમએમ) થી અતિ ભારે વરસાદ (૧૧૫.૫–૨૦૪.૪ એમએમ) ની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જારી કયુ છે. આઇએમડીએ આસામ અને મેઘાલય માટે ઓરેન્જ એલર્ટ જારી કયુ છે અને કહ્યું છે કે ૩ થી ૫ જૂન વચ્ચે ભારે (૬૪.૫–૧૧૫.૫ એમએમ) થી ખૂબ ભારે વરસાદ (૧૧૫.૫–૨૦૪.૪ એમએમ) ની શકયતા છે. વિભાગે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ માટે પણ સમાન ચેતવણી જારી કરી છે. આઇએમડીએ નવીનતમ બુલેટિનમાં જણાવ્યું છે કે હાલમાં બે ચક્રવાતી નીચા દબાણ કેન્દ્રો રચાયા છે, જેના કારણે દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક ચક્રવાતી પરિભ્રમણ આસામના ઉત્તરપૂર્વીય ભાગમાં ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં સક્રિય છે યારે બીજું કેરળ અને તેની આસપાસ છે. આ ચક્રવાતી સ્થિતિને કારણે કેરળ, માહે અને કર્ણાટકના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં રવિવારે પણ ભારે વરસાદ નોંધાયો છે. કર્ણાટકની રાજધાની બેંગલુમાં રવિવારે ૧૧૧.૧ એમએમ વરસાદ નોંધાયો હતો, જે ૧૩૩ વર્ષનો રેકોર્ડ બ્રેક આંકડો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech