મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રીને લઈને પાંચ દિવસથી સસ્પેન્સ ચાલુ છે. મહારાષ્ટ્રના સીએમને લઈને આજે રાત્રે 9 વાગ્યે દિલ્હીમાં NDAની બેઠક યોજાશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવાર આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે પણ હાજરી આપશે. આ ત્રણેય નેતાઓ આજે ગૃહમંત્રી અમિત શાહને મળશે.
અમિત શાહને મળ્યા પહેલા અજિત પવારે પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રની જીત માટે NCP કાર્યકર્તાઓ અને જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અમે હંમેશા રાજ્યોની પ્રગતિ માટે કામ કર્યું છે. મહિલાઓ અને યુવાનો માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, આ જીત તેનું પરિણામ છે.
જ્યારે પત્રકારોએ અજિત પવારને પૂછ્યું કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? તેના પર તેમણે કહ્યું કે અમે ગઠબંધનમાં છીએ, ગઠબંધનમાં કોઈ નિર્ણય એકલા નથી લેવાતા. આજે અમિત શાહ ભાઈ સાથે મુલાકાત છે. મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન કોણ હશે તેની અમે પહેલાં ક્યારેય ચર્ચા કરી નથી. સીએમ માટે પૂર્વ ચર્ચાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે. બેઠક બાદ જ નિર્ણય લઈશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘવારીનો વધુ એક માર: અમૂલ દૂધના ભાવમાં આજ મધરાતથી 2 રૂપિયાનો વધારો લાગુ
April 30, 2025 07:45 PMસુરત શિક્ષિકા-વિદ્યાર્થી કેસ મામલે નવો વળાંક, ફરવા ગયા હોવાનો દાવો
April 30, 2025 07:02 PMરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech