હળવદની જીવાદોરી બ્રાહ્મણી–૨ ડેમમાં સાત દિવસ ચાલે તેટલું જ પાણી!

  • April 28, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં ઉનાળાનો આંકરા તાપ તપી  રહ્યો છે ત્યારે પીવાનું પાણી ભરવા માટે ગ્રામ્ય પંથકમાં લોકો પરેશાન થઈ રહ્યા છે, પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યાંરે આગામી દીવસમાં પાણીની વિકટ સમસ્યા ન સર્જાય તે માટે નગરપાલિકા તત્રં અને સ્થાનિક આગેવાનોએ દ્રારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી નમેદા કેનાલ પાણી ચાલુ કરવતા હાલ પુરતું પાણી નું જળસંકટ દૂર થયું છે.
હળવદ બ્રાહ્મણી ૨ ડેમ્ એ જીવાદોરી સમાન માનવામાં આવે છે કારણ કે હળવદ મોરબી અને જામનગર ત્રણને પાણી પૂં પાડે છે પરંતુ હાલમાં બ્રાહ્મણી બે ડેમમાં માત્ર સાત દિવસ ચાલે તેટલું જ પાણી રહેતા અગામી દિવસમાં પાણી માટે રજળપાટ ન થાય તે માટે હળવદ નગરપાલિકા તત્રં ચીફ ઓફિસર પ્રમુખ, ઉપ  પ્રમુખ, તથા સ્થાનિક આગેવાનોની મદદથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલનું પાણી ચાલુ કરાવી દેતા લોકોને પીવાનું પાણી પૂરતું અને નિયમિત મળી રહેશે, લોકોને ઉનાળાની કાળજાળ ગરમીમાં  પાણી માટે કોય તકલીફ ન પડે તે માટે તત્રં દ્રારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી નર્મદા કેનાલનું પાણી બ્રાહ્મણી–૨ ડેમમાં ચાલુ કરવામાં આવ્યું છે.
લોકોને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે પાલીકા તત્રં અને આગેવાનોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત ફળી હતી, તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલનું પાણી ચાલુ કરાવવા આવ્યું હતું.નર્મદા કેનાલ થી બ્રાહ્મણી–૨ ડેમમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવતા  જળસંકટ સમસ્યા હાલ પુરતી દુર થય છે.લોકોને પૂરતું પાણી મળી રહે તેવા પ્રયાસો સ્થાનિક તત્રં દ્રારા કરવામાં આવ્યા હતાંં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application