પોરબંદરમાં દિવાળીની રાત્રે ગત વર્ષ જેટલા વધુમાત્રામાં ફટાકડા ફૂટયા નથી તેના કારણે આગના બનાવમાં પણ ભારે ધટાડો થયો હતો અને જિલ્લામાં કુલ આઠ બનાવ બન્યા હતા જેમાં બે મેજર હતા બાકી સામાન્ય હોવાનુ જાણવા મળ્યુ છે.
પોરબંદર ફાયરબ્રિગેડ દ્વારા દિવાળીની રાત્રે આગ બુઝાવવા માટે પાંચ જેટલી ટીમો ફિલ્ડમાં અને ત્રણ જેટલી ટીમો રીઝર્વ ઓપરેશન માટે રાખી હતી. ત્યારે દિવાળીની રાત્રે પોરબંદરના ફાયરબ્રિગેડ વિભાગને કુલ આઠ જેટલા ફાયરકોલ મળ્યા હતા જેમાં સાત પોરબંદર શહેર તથા આજુબાજુના વિસ્તારના તથા એક પોલીસ કંટ્રોલમ દ્વારા કુતિયાણાની આગ વિષેની માહિતી અપાઇ હતી. જેમાં પોરબંદરમાં જ્યુબેલી વિસ્તારમાં ભંગારના ડેલામાં મોટી આગ લાગી હતી અને તેમાં હજારો પિયાનો ભંગારનો સામાન રાખ થઇ ગયો હતો. તે ઉપરાંત પોરબંદરના સત્યનારાયણ મંદિર સામે આવેલા દેવદર્શન એપાર્ટમેન્ટની બાજુમાં નાના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફટાકડાના કારણે આગ લાગી હતી આથી ત્યાં પણ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પહોચી ગઇ હતી અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.
એ સિવાય પોરબંદરની પોરાઇ ગૌશાળાના સુકા ઘાસચારામાં પણ આગ લાગી હતી. જેને ફાયરજવાનોએ બુઝાવી નાખી હતી તે ઉપરાંત પોરબંદર શહેર તથા આજુબાજુમાં ખુલ્લાપ્લોટ અને કચરામાં આગ લાગી હતી. પોરબંદર ફાયરબ્રિગેડ વિભાગે કુલ સાત જેટલા આગના બનાવોમાં કામગીરી કરી હતી.
કુતિયાણા ગામે એસ.બી.આઇ. પાછળ જુનવાણી બંધ મકાનમાં આગ લાગી હતી તે અંગે પોલીસ કંટ્રોલમ દ્વારા પોરબંદર ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને આ કેસ અંગે કુતિયાણાના ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ત્યાંથી તેઓએ કામગીરી કરી હતી. તેમ ફાયરબ્રિગેડના અધિકારી અભયભાઇ મહેતાએ જણાવ્યુ છે. તેઓએ ઉમેર્યુ હતુ કે પોરબંદર જિલ્લામાં ફાયરબ્રિગેડ દ્વારા આઠ ટીમો સતત ખડેપગે રહી હતી પરંતુ ગત વર્ષની સરખામણીમાં વધુ માત્રામાં ફટાકડા ફૂટયા નહી હોવાને લીધે આગના બનાવોમાં પણ ઘટાડો થયો હતો.
હાઇવે પર વધુ ફટાકડા ફૂટયા
આ વર્ષે પોરબંદરમાં નવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો જેમાં અનેક લોકો પોતાની ગલી મહોલ્લામાં કે ચોપાટી પર ફટાકડા ફોડવાના બદલે શહેરથી દૂર દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવે પર કોલીખડા નજીક, વનાણા નજીક તેમજ ત્રણ માઇલ નજીક ફટાકડા ફોડવા માટે પહોંચી ગયા હતા તેથી પણ આગના બનાવ ઓછા બન્યાનુ ફાયરબ્રિગેડની ટીમે જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ
May 14, 2025 11:18 AMશ્રીનગરમાં 11 સ્થળોએ 150 આતંકીઓના ઘરો પર દરોડા
May 14, 2025 11:15 AMજામનગર શહેરમાં કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણને પકડી પાડતી LCB પોલીસ
May 14, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech