જામનગરમાં મકાનમાંથી ત્રણ લખાની માલમત્તાની ચોરી

  • July 14, 2023 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આલાપ એવન્યુ વિસ્તારમાં રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો : રોકડ અને દાગીના લઇ ગયા

જામનગર શહેરમાં તસ્કરોના પરોણાં થયા છે, અને રણજીતસાગર રોડ પર આવેલા એક બંધ મકાનને  નિશાન બનાવી લઈ સોનાના દાગીના અને રોકડ રકમ સહિત ત્રણ લાખની માલ મતાની ચોરી થયાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર સાંઈબાબાના મંદિરની પાછળના ભાગમાં આલાપ એવન્યુ ના બ્લોક નંબર ૨૩-૪ માં રહેતા જયશ્રીબેન પતંજલિભાઈ ભટ્ટના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મકાનમાંથી રૂપીયા ૫૦,૦૦૦ ની રોકડ રકમ તેમજ સોનાનું મંગળસૂત્ર, ચાર નંગ વીંટી, તથા સોનાનો ચેન અને બે નંગ સોનાની બંગડી સહિત ત્રણ લાખની માલમતા ની ચોરી કરી ગયા હતા.
 જે ચોરીના બનાવ અંગે જયશ્રીબેન ભટ્ટ એ સિટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને તસ્કરોને પકડવા માટે તપાસને લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application