સમય ગ્રુપના યુવાનોએ રાત્રિ જાગરણ કરી મુંગા જીવોના જઠરાગ્નિ ઠાર્યા

  • August 20, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં સમયગૃપ દ્વારા વિવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે,ત્યારે આ સંસ્થાના યુવાનોએ રાત્રી જાગરણ કરીને અલગ-અલગ વિસ્તારોમાં ગૌધનને ખોળ અને શ્ર્વાનને બિસ્કીટનું ભોજન જમાડ્યું હતું.
પોરબંદરના સમય ગ્રુપના સભ્યો દ્વારા વિવિધ સ્થળો પર જઈને ગૌમાતાને ૫૫૦ કિલો ખોળ પૌષ્ટિક આહાર અને શ્વાનને બિસ્કીટ ખવડાવવામાં આવ્યા હતા.પોરબંદરના બોખીરા,જયુબેલી,ખાપટ રોડ ગુ‚કુલ ગેટ પાસે, શીતલાચોક, બંદર રોડ શહીદચોક પાલાનો ચોક, સ્વસ્તિક હોલ આસપાસ,હરીશ ટોકીઝ પાસે,લીમડાચોક પાસે, ‚પાલી હોટલની આજુબાજુમાં,ચોપાટી ઓશિયેનીક હોટલની આસપાસ,ઝુરીબાગ કૈલાશ ગેરેજ પાસેના વિસ્તારમાં, ગૌમાતાઓ માટે અને શ્વાન માટે પૌષ્ટિક આહાર ખવડાવામા આવ્યો હતો.સમય ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે રાત્રે ૧૨:૦૦ વાગ્યાથી વહેલી સવારે ૭:૦૦ વાગ્યા સુધીની આ અમુલ્ય સેવાને જોઈ ઈશ્ર્વર પણ ચોક્કસ રાજી થઈને આ તમામ સેવકો ઉપર આશીર્વાદ વરસાવતા હશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application