ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતા દેવરાજભાઈ રાયાભાઈ વાલાણી (ઉ.વ 26) નામના યુવાને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અહીં ગામમાં જ રહેતા કમલેશ કારાભાઈ માલીયા, લખમણ કારાભાઈ માલીયા, વીરા બીજલભાઇ અને કાળા માલીયાના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલ સાંજના તે પોતાનું બાઈક લઇ સુપેડીથી ઝાંઝમેર ઘરે જતો હતો. ત્યારે અહીં ઝાંઝમેર ગામના બસ સ્ટેશનથી આગળ રોડ પર પહોંચતા અહીં કમલેશ, લખમણ, વીરા ઉભા હોય તેણે રાડ પાડી બોલાવતા યુવાને વાહન ઉભું રાખ્યું હતું.યુવાને તેઓને કહ્યું હતું કે આપણે સમાધાન થઈ ગયું છે તો પછી શું વાંધો છે? એવું કહેતા આ શખસો ઉશ્કેરાયા હતા અને ગાળાગાળી કરી લાકડી વડે અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન કમલેશના પિતા કારાભાઈ પણ આવી ગયા હતા તે પણ ગાળો આપી મારવા લાગ્યા હતા. જેથી યુવાન અહીંથી પોતાનું વાહન લઇ ઘરે જવા નીકળ્યો હતો. ઘરે જઈ પરિવારજનોને આ બાબતે વાત કરી હતી બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ થયેલી માથાકૂટમાં સમાધાન થઈ ગયું હોવા છતાં જૂની અદાવતનો ખાર રાખી તેના પર આ શખસોએ હુમલો કર્યો હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMજામનગરમાં ફરી નકલી પોલીસ અને પત્રકારે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
June 03, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech