પોરબંદરના પક્ષી અભયારણ્યની દિવાલ બહાર બે વર્ષ પહેલા સુંદર મજાના ચિત્રોનું સર્જન કરવામાં આવ્યું હતું પોરબંદરના ચિત્રકારોએ આ દિવાલો ઉપર પર્યાવરણ અને પ્રકૃતિ બચાવવા સહિત પક્ષી સૃષ્ટિ અને વન્ય સૃષ્ટિ વિશેની જનજાગૃતિ માટે અવનવા ચિત્રો દોર્યા હતા. પરંતુ આ ચિત્રોની આજુબાજુમાં રાત્રિના સમયે તાપણા કરતા શખ્સોએ એ ચિત્રોને નુકસાન પહોંચાડ્યું છે એટલું જ નહીં પરંતુ દીવાલો ઉપર જાત જાતના લખાણ લખ્યા છે. આ વિસ્તાર રાત્રિના સમયે આવારા તત્ત્વોનો અડ્ડો બની જાય છે અને ધૂમ સ્પીડે નબીરાઓ કાર ચલાવવા સહિત બાઈક ચલાવે છે. આ રહેણાંક વિસ્તાર છે અને ત્યાં આ રીતે થતી હરકતો સામે પોલીસે હવે કડક પગલાં ભરવા જરી બન્યા છે અને વન વિભાગની જ પક્ષી અભયારણ્યની દિવાલ ઉપર ચિત્રોને નુકસાન થયું છે તેથી જંગલ ખાતાએ પણ આ મુદ્દે તપાસ હાથ ધરવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech