સિહોરના મોક્ષધામના સ્નાનગૃહનું દુર્ગંધ મારતું પાણી, ડાઘુઓ હેરાન

  • May 30, 2025 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોરના  ગૌતમેશ્વર રોડ પર આવેલ ભૂતનાથ મહાદેવ અને તેમની બાજુ માં આવેલ મોક્ષધામ ખાતે છેલ્લા ઘણા સમય થી અંતિમ સંસ્કાર બાદ ત્યાં સંસ્થા દ્વારા પાણી ના સ્ટેન્ડ મૂકાવી સ્નાનગૃહ બનાવવામાં આવેલ પરતું હાલ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. સિહોર નું ગૌતમેશ્વર તળાવ ના પાણી લાઈન થી પાણી પુરૂ પડાય છે ત્યારે હાલ પાલિકા દ્વારા દુર્ગંધ મારતું પીવાનું પાણી આવતા   કંસારા સમાજ ના એક પરિવાર નું અવસાન થયેલ સ્મશાન ખાતે અંતિમ વિધિ બાદ સ્નાનગૃહ ખાતે સ્નાન માટે ગયા હતા ત્યારે નળ માં સપ્લાય સમયે દુર્ગંધ અને ડહોળું પાણી ને લઇ અમુક લોકો સ્નાન વગર રહ્યા હતા.  બીજી તરફ સગવડતા ના નામે પણ મોટું મીંડું છે. પીવાના પાણી માટે  કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી લોકોને બહારથી પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડે છે. તો નગરપાલિકા તંત્ર અને મોક્ષધામ ટ્રસ્ટ દ્વારા વહેલી તકે આ બાબતે યોગ્ય કરવું જોઈએ તેવી લોકોની માંગ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application