સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 70 ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી, ડેમમાંથી 28,464 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું

  • August 09, 2024 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 70 ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી ગયાના સમાચાર સામે આવ્યા છે. ડેમમાંથી ૨૮,૪૬૪ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે. હાલ તો સરદાર સરોવર ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક નોંધાઈ છે.


વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૨૮.૬૯ મીટર સુધી પહોંચી છે. તા. ૯ ઓગસ્ટ બપોરે ૩.૦૦ કલાક સુધી ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઇ છે. 


સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના ૭૦ ટકા એટલે કે, ૬,૬૨૨ મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.


સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે ૨૮,૪૬૪ કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application