આગામી મિશન ચંદ્રયાન-3 કરતાં 12 ગણું ભારે અને અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે
ચંદ્રયાન-3 સાથે ઈતિહાસ રચ્યા બાદ ભારત ચંદ્રયાન-4 મિશન તરફ આગળ વધી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-4 ચંદ્રયાન-3 કરતા 12 ગણું ભારે હશે.
ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર (એસએસી)ના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું કે ચંદ્રયાનના રોવરનું વજન 350 કિલોગ્રામ હશે, જ્યારે ચંદ્રયાન-3ના રોવરનું વજન 30 કિલોગ્રામ હતું. રોવરના આકારમાં આ વધારો ઈસરોની વ્યાપક યોજનાનો એક ભાગ છે, જેમાં ચંદ્રની સપાટીનું અન્વેષણ કરવા અને નમૂનાઓ પૃથ્વી પર લાવવાનું સામેલ છે. ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી પૃથ્વી પર નમૂનાઓ લાવવાનો છે.
અહેવાલ મુજબ, નવું રોવર વધુ પેલોડ સાથે સંશોધન માટે મોટા વિસ્તારોમાં મદદરૂપ થશે. અગાઉ મોકલવામાં આવેલ પ્રજ્ઞાન રોવરે 500500 મીટરનો વિસ્તાર કવર કર્યો હતો. નવું રોવર 11 કિમીનો વિસ્તાર કવર કરી શકે છે. આનાથી ચંદ્ર પર સંશોધનનો વ્યાપ વધશે.
નિલેશ દેસાઈએ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે ચંદ્રયાન-4 મિશન 2030 સુધીમાં લોન્ચ થઈ શકે છે. મિશનમાં પાંચ મોડ્યુલ મોકલવામાં આવશે. દરેક ચંદ્રની સપાટી પર સાથે મળીને કામ કરશે. આ મિશન એ એટલા માટે ખાસ હશે કે અત્યાર સુધી માત્ર અમેરિકા અને ચીને જ ચંદ્ર પર આટલા મોડ્યુલ મોકલ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદમાશને પકડવા ગાઝિયાબાદ ગયેલી નોઈડા પોલીસ પર હુમલો,કોન્સ્ટેબલનું મોત
May 26, 2025 10:21 AMચીનનો વીટો પાવર બન્યો આતંકી સંગઠનોની ઢાલ, યુએનમાં કાર્યવાહીમાં વિલંબ
May 26, 2025 10:19 AM800 વર્ષ જૂના મમીના ગાલ પર મળ્યું ટેટૂ, વિજ્ઞાનીઓ થયાચકિત
May 26, 2025 10:11 AMજામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર ગઈકાલે બપોરે એક કાર બેકાબુ થઈ ડિવાઇડર સાથે ટકરાઈ
May 26, 2025 10:11 AMદ્વારકા જગતમંદિરમાં કાળિયા ઠાકોરને સુકા મેવાનો મનોરથ
May 26, 2025 10:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech