શિહોરના હઝરત ગરીબશાપીર દાદાનો બે-દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો

  • August 30, 2024 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જીલ્લાના શિહોર મુકામે આવેલા સૌરાષ્ટ્ર ના મશહુર શહેનશાહ હઝરત પીર રોશન ઝમીર ગરીબશાહ પીર દાદાનો બે દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો.
આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં કુર્આન ખ્વાની, મીલાદ શરીફ, નાત શરીફ, તેમજ સંદલ શરીફ નું એક શાનદાર ઝુલુસ શિહોરના રાજમાર્ગો ઉપર ફર્યું હતુ. ઝુલુસ બાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામુહિક દુવાઓ કરવામાં આવી હતી. તેમજ સતત બે દિવસ ન્યાઝ શરીફ સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યા માં હિન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુ લોકો ઉમટી પડયા હતા. કોમી એક્તા અને ભાઇચારાના પણ દર્શન થયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદીમ ઇસ્માઇલશા અબ્દુલ્લાશા, સલીમશા ગરીબશા, પુર્વનગરસેવક કાળુભાઇ બેલીમ, રફીકશા કાશમશા, ઇમરાનશા અહેમદશા સહિતના ઉર્ષ કમીટીના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application