ગુજરાતના કચ્છ વિસ્તારમાં પ્રવર્તી રહેલા વાવાઝોડાએ પોતાની દિશા બદલી નાખી છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ગુજરાતના કચ્છમાં ચાલી રહેલા વાવાઝોડાએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. ગુજરાત પર ત્રાટકેલા ચક્રવાતનો ખતરો હાલ ટળી ગયો છે. અગાઉ બપોરે 12 વાગ્યાના સુમારે કચ્છના માંડવી વિસ્તારમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હતો.
મહત્વનું છે કે પહેલા હવામાન વિભાગે જણાવ્યું હતું કે કચ્છ પરનું ડીપ પ્રેશર એરિયા શુક્રવાર સુધીમાં ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરી શકે છે. ત્યારબાદ કચ્છ જિલ્લામાં ઝૂંપડા અને અસ્થાયી મકાનોમાં રહેતા લોકોને શાળાઓ અથવા મંદિરોમાં જવા માટે જવા માટે કહેવામાં આવ્યું હતું.
શું કહ્યું હવામાન વિભાગે ?
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે શુક્રવારે ગુજરાતમાં મુશળધાર વરસાદ અને પૂરનું કારણ બનેલું ડીપ ડિપ્રેશન કચ્છના દરિયાકાંઠે અને પાકિસ્તાનના આસપાસના વિસ્તારોમાં ચક્રવાત 'અસના'માં બદલાઈ ગયું હતું. વર્ષ 1976 પછી ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં આ પહેલું ચક્રવાતી તોફાન છે. અસના નામ પાકિસ્તાને આપ્યું છે.
કચ્છના દરિયાકાંઠે અને તેની નજીકના વિસ્તારો અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 6 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધીને ચક્રવાતી તોફાન 'અસના'માં ફેરવાઈ ગયું છે અને ભુજ (ગુજરાત)થી લગભગ 190 કિમી પશ્ચિમમાં 11.30 વાગ્યે ઉત્તરપશ્ચિમમાં લેન્ડફોલ થયું.
ગુજરાતમાં વરસાદ સંબંધિત ઘટનાઓએ છેલ્લા ત્રણ દિવસમાં 26 લોકોના જીવ લીધા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 18,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લગભગ 1,200 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMઅપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર પોલીસ
May 16, 2025 12:13 PMરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 16, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech