આજ સવારથી જામનગર સહિત ગામડાઓમાં આકાશમાંથી અંગારા વરસ્યા: જનજીવન પર ભારે અસર: હજુ ત્રણ દિવસ અસહ્ય ગરમી રહેશે તેવી હવામાન ખાતાની આગાહી : હિટવેવથી બચવા બપોરે ૧૨ થી ૪ દરમ્યાન ઘરની બહાર ન નિકળવા સુચના
સૂર્યદેવતાએ જામનગર ઉપર લાલ આંખ કરી છે, જામનગર ભઠ્ઠીમાં ફેરવાઇ રહ્યું છે, ગઇકાલે સાંજથી જ અસહ્ય ગરમી શરુ થઇ છે, આજે સવારે મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રીએ પહોંચી જતાં લોકો ભારે પરેશાન થઇ ગયા છે, ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરુ કરી દીધું છે, ચામડી દાઝી જાય તેવો પ્રખર તાપ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે અને સિઝનમાં પ્રથમ વખત જામનગરનું તાપમાન ૪૦ ડીગ્રીએ પહોંચી જતાં લોકો પરસેવાથી રેબઝેબ થઇ ગયા છે, આગામી ચાર દિવસ સુધી હીટવેવની આગાહી છે ત્યારે તાપમાન હજુ વધુ ઉંચકાશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
શહેરમાં આકરો તાપ શરુ થઇ ચૂકયો છે, હજુ ત્રણ દિવસ સુધી આકાશમાંથી અંગારા વરસશે તેવી હવામાન ખાતાની આગાહી છે. ગઇકાલથી તાપ શરુ થયો છે, આજે પણ સૂર્યદેવતા લાલચોળ થઇ ગયા છે. ગામડાઓમાં પણ સવારથી જ ગરમી શરુ થઇ છે, કેટલાક ગામડાઓ અને જામનગર શહેરમાં પીજીવીસીએલની પ્રિ-મોનસુનની કામગીરીના બહાને આજે પણ લાઇટો બંધ કરી દેવામાં આવી છે.
બળબળતા તાપને કારણે લોકો સવારથી જ પરેશાન થઇ ગયા છે, ઠંડા પીણા, બરફ, ગોલા, આઇસ્ક્રીમ, શેરડીનો રસ, જયુશ, નાળીયેર પાણીનો સહારો લઇ રહ્યા છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન સિઝનનું સૌથી વધુ ૪૦ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૫.૫ ડીગ્રી, હવામાં ભેજ ૮૩ ટકા અને પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, રાવલ, ભાટીયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં સૂર્યદેવતા કોપાયમાન થયા છે અને વધુ ગરમી પડવાની પુરી શકયતા છે.
ગરમીને કારણે ખેતી કામ કરતા મજુરોને પણ ભારે તાપ સહન કરવો પડે છે, એટલું જ નહીં જામનગરમાં હટાણું કરવા આવતા લોકોને પણ ખુબ જ મુશ્કેલી પડે છે ત્યારે આ કાળઝાળ ગરમીને કારણે લોકો વ્યથીત થયા છે. વેકેશન છે ત્યારે બાળકોને શાળાએ જવાનું ન હોય તેને રાહત મળી છે પરંતુ લગ્નગાળો હોય લોકો પાણીની પ્યાસ બુઝાવવા વલખા મારી રહ્યા છે.
**
અસહ્ય ગરમીમાં તકેદારી રાખવા રાજ્ય સરકારની સૂચના
ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા આગામી તા. ૧૬/૦૫/૨૦૨૩ સુધી સૌરાષ્ટ્ર સહિત જામનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવેલ છે. આ આગાહી તેમજ આગામી ગરમીનાં દિવસોમાં લુ ની અસરથી બચવા જિલ્લાનાં નાગરીકોને હીટવેવ દરમ્યાન બહાર નિકળવાનું ટાળવા, શરીર અને માથું ઢાંકીને રાખવા, સફેદ અને ખુલ્લા કપડા પહેરવા, છત્રીનો ઉપયોગ કરવા, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બિમાર વ્યકિતઓને તડકામાં વિશેષ કાળજી રાખવા, સીઘા સૂર્યપ્રકાશથી બચવા, વારંવાર ઠંડુ પાણી પીવા, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી અને નાળિયેરનું પાણી તેમજ ખાંડ-મીઠાનું દ્રાવણ અને ઓ.આર.એસ. વિગેરે પૂરતા પ્રમાણમાં પીવા, બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાનાં પાનનો ન્હાવાનાં પાણીમાં ઉપયોગ કરવા, શરીરનું તાપમાન નીચું આવે ત્યારે જ ન્હાવા, છાંયડામાં રહેવા, બજારનો ખુલ્લો ખોરાક ન ખાવા, બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ન કરવા, દુઘ અને માવાની આઇટમો ન ખાવા તેમજ ચા-કોફી અને દારૂનું સેવન કરવાથી લૂ લાગવાની શકયતાઓ વધુ હોવાથી આનું સેવન ન કરવા અને ખાસ કરીને દિવસોમાં બપોરે ૨ થી ૪ વાગ્યા સુઘી બહાર નીકળવાનું ટાળવા સહિતનાં પગલાં લેવા જણાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech